રાજ્યમાં એક તરફ કોરોના મહામારીએ માઝા મુકી છે ત્યારે બીજી તરફ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ગત મોડી રાતે અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. જો કે, આ ઘટનામાં 8 લોકોના સળગી જવાથી મોત નીપજ્યા છે.
અમદાવાદના નવરંગપુરામાં કોવિડ હોસ્પિટલમાં આગ
શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં લાગી આગ
આગ લાગતા કોરોનાનાં 8 દર્દીઓના મોત
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી.
આગ ફાટી નીકળતા મચી દોડધામ
અચાનક ફાટી નીકળેલી આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે, આ હોનારતમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત કુલ 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે.
Gujarat: Fire breaks out at a hospital in Ahmedabad. More details awaited.
આ સાથે જ એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે.
આગને પગલે દર્દીઓના સગા-વહાલામાં રોષ
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠતા 8 દર્દીઓના સળગી જવાથી મોત નીપજ્યા છે. આ હોનારતને પગલે દર્દીઓના સગા-વ્હાલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને પોલીસ સાથ થોડું ઘર્ષણ પણ થયું હતું.
આરોગ્ય સચિવ પહોંચ્યા શ્રેય હોસ્પિટલ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓએ મીડિયા સાથ વાતચીત દરમિયાન જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે અને જરૂરી કાર્યવાહી પણ કરાશે
PM મોદીએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
Saddened by the tragic hospital fire in Ahmedabad. Condolences to the bereaved families. May the injured recover soon. Spoke to CM @vijayrupanibjp Ji and Mayor @ibijalpatel Ji regarding the situation. Administration is providing all possible assistance to the affected.
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગને પગલે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મેયર બીજલ બેન પટેલ સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.
CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.
તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇ એ એસ અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
મુખ્યમંત્રીશ્રી એ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસ માં કરીને જવાબદાર લોકો ની જવાબદારી નક્કી કરવા સહિત નો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.