બજારમાં વિવિધ પ્રકારના લોટ મળે છે. મલ્ટિગ્રેન લોટ, ઘઉંનો લોટ, રાગી, વગેરે. છેલ્લા ઘણા સમયથી લોકો ઘઉંના બદલે અથવા ઘઉંની સાથે સાથે વિવિધ લોટનો ઉપયોગ કરતા થયા છે. તેમાં વિવિધ પોષક તત્વો હોય છે. પરંતુ દરેકને એ જ મુંઝવણ હોય છે કે હેલ્થની દૃષ્ટિએ કયો લોટ ખાવો ઉત્તમ છે.
બિમારીમાં ક્યો લોટ ખાવો જોઇએ
કોરોનાકાળમાં લોટ વધારશે ઇમ્યૂનિટી
બજારમાં મળતા ભેળસેળવાળા લોટથી બચો
દરેકને ઘઉના લોટથી બનેલી રોટલી ખાવી ગમે છે, જ્યારે કે પંજાબી ભોજન સાથે રૂમાલી રોટી કે નાન ભાવે છે. કઇ રોટલી આપણા આરોગ્ય માટે લાભકારી છે અને કેવા પ્રકારના લોટથી બનેલ રોટલી આપણે ખાવી જોઈએ, તેની માહિતી લોકોને નથી હોતી.
ઘઉં
જેમને ગ્લુટેનથી એલર્જી છે એવા જ લોકોને ઘઉંની રોટલી ખાવાની મનાઈ હોય છે. દરેક ઘરમાં ઘઉંની રોટલી ખાવામાં આવે છે, ઘઉંની રોટલીમાં ફોલિક એસિડ, વિટામિન ઇ, વિટામિન બી 6, બી કોમ્પ્લેક્સ અને મેગ્નેશિયમ, ઝિંક જેવાં ખનિજો પણ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ જેમણે ગ્લૂટેનથી એલર્જી છે, ફક્ત એવા જ લોકોએ ઘઉંની રોટલી ન ખાવી જોઈએ.
બાજરી
બાજરીના લોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર જેવાં મહત્વપૂર્ણ તત્વો જોવા મળે છે. તે વિટામિન બી કોમ્પ્લેક્સથી ભરપૂર છે. તે હૃદયની તંદુરસ્તી માટે પણ સારું છે અને કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે, તેથી શિયાળામાં બાજરીનો લોટ ખાવાની સલાહ આપવામાં આવે છે.
મલ્ટીગ્રેન
ઓછું કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે તે વજન નિયંત્રિત રાખે છે. આજકાલ બજારમાં મલ્ટીગ્રેન લોટની અનેક વેરાયટીઝ મળે છે. જે પ્રોટીન યુક્ત લોટ માંસપેશીને પણ મજબૂત બને છે. તેમા ફાઈબર હોવાને કારણે કબજિયાત અને પેટની ફરિયાદ નથી થતી. ઓછુ કાર્બોહાઈડ્રેટ હોવાને કારણે વજન નિયત્રિત રહે છે. પણ તેનુ સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાક જરૂર લેવી જોઈએ.
રાગી
રાગીમાં કેલ્શિયમ, આયર્ન, થાયમિન પ્રચૂર માત્રામાં જોવા મળે છે. તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. સાથે જ માંસપેશીઓને સુધારે છે. જેનાથી તમને ક્યારેય શરીરનો દુ:ખાવાની ફરિયાદ થતી નથી. તેથી રાગીના લોટથી બનેલી રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે.