અમદાવાદમાં હેરિટેજ લુક સાથે બનાવવામાં આવેલા GST બિલ્ડીંગના લોકાર્પણ બાદ નીતિન પટેલ બોલ્યા ઈ-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત મોખરે છે
નીતિન પટેલના હસ્તે GST બિલ્ડીંગનું લોકાર્પણ
હાઇડ્રોલિક પાર્કિંગ અને અદ્યતન સુવિધાઓથી સજ્જ
ગ્રાહકો માટે ઇ-સેન્ટર અને વન ટચ સોલ્યુશન
અમદાવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હસ્તે GST કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. હેરિટેજ લુક સાથે બનાવવામાં આવેલા GST બિલ્ડીંગનું લોકાર્પણ બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે આ કચેરી હાઈડ્રોલિક પાર્કિંગ અને અધતન સુવિધાઓથી સજ્જ બનાવાઈ છે. તેમજ ગ્રાહકો માટે ઈ-સેન્ટર અને વન ટચ સોલ્યુશનની સુવિધાઓ પણ કચેરીમાં ઉપલબ્ધ કરાવામાં આવનાર છે જેથી ગ્રાહકોને કોઈ અગવડનો સામનો કરવો પડશે નહીં,
ઈ-વે બિલ જનરેટ કરવામાં ગુજરાત મોખરે છેઃ નીતિન પટેલ
GST બિલ્ડીંગના લોકાર્પણ બાદ નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યાં સૌથી વધુ આવક GSTથી થાય છે પરતું કોરોનામાં દેશની આયાત અને નિકાસ પર અસર હોવાથી સરકારના નાણા વિભાગે એડવાન્સ ગ્રાન્ડ ફાળવી આપી છે સાથે આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત અનેક પ્રકારની સહાય કરવામાં આવી છે. એટલું જ નહીં ઉદ્યોગ ધંધા-રોજગાર માટે પણ સહાય કરાઈ છે.
GST વિભાગ સાથે છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી
જે લોકો છેતરપિંડી કરે છે તેમની સામે કાર્યવાહી થશે તેવું કહેતા નીતિન પટેલે GSTની આવકમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું તેમને કહ્યું કે ગત વર્ષ કરતા આ વર્ષે GST અને વેટની આવક વધી છે રાજ્યમાં ઈ-વે બિલ જનરેટ કરાવમાં ગુજરાત અન્ય રાજ્યો મોખરે આવ્યું છે.
જ્યારે કોરોના મહામારીમાં ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન હોવાનું જણાવ્યું હતું. એટલું નહીં GST વિભાગ દ્વારા બોગસ બિલિંગ તેમજ છેતરપિંડી કરનાર સામે કડક કાર્યવાહી કરી કહી હાલમાં જ 1 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું, અને કોરોના સંક્રમણ ઓછું થતા સરકારે ઉદ્યોગ ધંધની પ્રવૃતિઓને ચાલુ રાખવની છૂટછાટ આપી હોવનું નીતિ પટેલે કહ્યું હતું.