ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી લીધા બાદ લાગી રહ્યું હતું કે હવે ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે પરંતુ ફરી એકવાર પંજાબનાં 5 સંગઠનો દિલ્હી તરફ કૂચ કરી રહ્યાં છે.
ત્રણ કૃષિ કાયદા ખેંચી લેવા છતાં ખેડૂતોમાં અસંતોષ
ફરી એકવાર પંજાબથી દિલ્હી તરફ કરી રહ્યાં છે કૂચ
પાંચ ખેડૂત સંગઠનોની દિલ્હી સંસદ તરફ માર્ચ
ફરી એકવાર ખેડૂત સંગઠન દિલ્હી તરફ પ્રયાણ કરી રહ્યું છે. પાંચ ખેડૂત સંગઠનો આજે સંસદ ભવન તરફ માર્ચ કરશે. આ પહેલાં જંતર-મંતરમાં તેમનું પ્રદર્શન છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે જે વાયદાઓ કર્યાં હતાં તે પૂરા કર્યાં નથી. જાણકારી અનુસાર પંજાબથી આવી રહેલા આ ખેડૂતો દિલ્હીમાં ગુરુદ્વારા બંગલા સાહિબની પાસે ભેગા થશે અને અહીંથી સંસદ ભવનની તરફ માર્ચ કરશે.
ફરી એકવાર શરૂ થશે આંદોલન
કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાઓની સામે 26 નવેમ્બર 2020નાં ખેડૂતોનું આંદોલન શરૂ કર્યું હતું. લગભગ એકવર્ષ સુધી ચાલેલા આંદોલન બાદ આ ત્રણ કાયદાઓને રદ કરી દેવામાં આવ્યાં હતાં.19 નવેમ્બર 2021નાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચી લેવાનું એલાન કર્યું હતું તેના બાદ આ આંદોલન સમાપ્ત થયો હતો. પરંતુ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે તેમણે કરેલા વાયદાઓને પૂરાં કર્યાં નથી તેથી તેઓ દિલ્હી તરફ માર્ચ કરી રહ્યાં છે.
શું છે તેમની માગો?
MSP કાયદો બનાવવાની માગ..MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય.
સંગઠનોનો દાવો છે કે સરકારે MSPની ગેરન્ટી પર કાયદો બનાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજી સુધી એવું થયું નથી.
ખેડૂત સંગઠનો ઈચ્છે છે કે સ્વામીનાથન આયોગનાં C2+50% ફોર્મૂલાનાં હિસાબથી MSPની ગેરેન્ટીનો કાયદો બનાવવામાં આવે.
આ સિવાય ખેડૂત સંગઠનોની માગ એ પણ છે કે આંદોલન દરમિયાન જે પણ ખેડૂતોની સામે કેસ નોંધવામાં આવ્યાં છે તેને પાછા ખેંચવામાં આવે.