ખેડૂતોની તરફથી આજે તમામ ધરણાં સ્થળોએ ભૂખ હડતાળની જાહેરાત કરાઈ છે. સરકારની તરફથી ફરી એક પત્રમાં 40 સંગઠનોને વાતચીતનું આમંત્રણ આપવામાં આવ્યું છે ત્યારે ખેડૂતો ફરીથી ભૂખ હડતાળ કરીને આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે. શક્યતા રાખવામાં આવી રહી છે કે કૃષિ મંત્રી 1-2 દિવસમાં જ ખેડૂતો સાથે મુલાકાત કરશે.
ખેડૂત આંદોલનનો 26મો દિવસ
ખેડૂતો આજે કરશે ભૂખ હડતાળ
સરકારના વાતચીતના પ્રસ્તાવ બાદ પણ કરશે હડતાળ
આજે ખેડૂતોની ભૂખ હડતાળ
હવે ખેડૂતોએ કૃષિ કાયદાની વિરુદ્ધમાં એક દિવસની ભૂખ હડતાળની જાહેરાત કરી છે. સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું છે કે આજે ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં દરેક ધરણાના સ્થળોએ 24 કલાકનો ઉપવાસ શરૂ કરશે.
We have decided to start 24 hours relay hunger strike starting tomorrow at all protest sites: Yogendra Yadav, Swaraj India. pic.twitter.com/JdwjFTg1EZ
સરકારનો દાવો છે કે આ કાયદો દેશના ખેડૂતોના હિતમાં છે
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સડક પર આંદોલનો કરી રહ્યા છે. સરકારનો દાવો છે કે આ કાયદો દેશના ખેડૂતોના હિતમાં છે. સરકારની તરફથી કહેવાઈ રહ્યું છે કે ખાસ સમસ્યાઓનું સમાધાન કરી દેવાયું છે. પરંતુ ખેડૂતો માનતા નથી. ખેડૂતો નવા 3 કૃષિ કાયદાને લઈને માંગ પર અડી રહ્યા છે. 25 દિવસથી ચાલી રહેલા આંદોલનમાં હાલમાં તેઓ દિલ્હી બોર્ડર પર કડકડતી ઠંડીનો પણ સામનો કરી રહ્યા છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે પત્ર દ્વારા થઈ રહી છે વાતચીત
સરકારની તરફથી ખેડૂતોને પત્ર લખાયો છે તો ખેડૂતોની તરફથી સરકારને પત્ર લખાયો છે. હવે ખેડૂતોની તરફથી તમામ ધરણા સ્થળોએ ભૂખ હડતાળની જાહેરાત કરાઈ છે. સરકારની તરફથી 40 ખેડૂત સંગઠનોના નામે પત્ર લખાયો છે અને સાથે કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે ક્રાંતિકારી ખેડૂત મોર્ચા સહિત 40 ખેડૂત સંગઠનોને પત્ર લખીને ફરીથી વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ખેડૂતો સાથે વાત કરશેઃ શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળ પ્રવાસમાં કહ્યું કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. તે આવનારા 1-2 દિવસમાં આંદોલન ખતમ કરાવવા માટે ખેડૂતોની મુલાકાત કરી શકે છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ન્યુનતમ સમર્થન મૂલ્યને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ખટ્ટરે કહ્યું કે જો એમએસપી ખતમ કરવાની કોશિશ કરાઈ તો રાજનીતિ છેડાઈ જશે.
ટોલને લઈને પણ બબાલ
ખેડૂત નેતા જગજીતસિંહે કહ્યું કે, હરિયાણાના તમામ રાજમાર્ગો પર ખેડૂત 25થી 27 ડિસેમ્બર સુધી ટોલ નહીં આપે.
રાકેશ ટિકૈતની અપીલ- ખેડૂત દિવસના દિવસે ન બનાવે ભોજન
ખેડૂત દિવસ 23 ડિસેમ્બરે છે. આ વખતે ખેડૂત દિવસ એવા સમયે આવ્યો છે, જ્યારે ખેડૂત નવા કૃષિ કાયદાઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અપીલ કરી છે કે ખેડૂત દિવસના દિવસે ભોજન ન બનાવે.
ખેડૂત સંગઠનોનો પ્રધાનમંત્રી અને કૃષિ મંત્રીને ખુલ્લો પત્ર
ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક સંયુક્ત ખુલ્લો પત્ર લખ્યો છે. જેમાં ખેડૂતોને ખેડૂતોને વિપક્ષના ગુમરાહ કરવાના આરોપોને લઇને નારાજગી વ્યક્ત કરી છે. આ પત્રમાં પ્રધાનમંત્રીના આરોપો અને કૃષિમંત્રીના પત્રના જવાબમાં છે.