છેલ્લા 15 દિવસથી દિલ્હી અને તેની બોર્ડર પર ખેડૂતો ભેગા થઇને કેન્દ્રના કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો સરકારની એક સાંભળવા તૈયાર ન હોય તેવું દેખાઈ રહ્યું છે.
સિંઘુ બોર્ડર પર આંદોલન કરતા ખેડૂતો લડી લેવાના મૂડમાં
ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ
ખેડૂતોની દિલ્લીને ઘેરવાની તૈયારીઓ
દિલ્હીના ખેડૂતોને સમજાવવા માટે સરકારે પ્રસ્તાવ આપીને આશ્વાસન આપ્યા બાદ હવે ખેડૂતો આંદોલનને ઉગ્ર બનાવવા માટે કામ કરી રહ્યા છે. આવતીકાલથી ખેડૂતોના આ આંદોલન વધુ તેજ બને તેવા એંધાણ છે ત્યારે ખેડૂતોએ સરકારને ઘેરવા માટે એક્શન પ્લાન પણ બનાવ્યો છે.
12મી તારીખે એક દિવસ માટે ટોલ પ્લાઝા પર ટોલ નહી ભરે
આગ્રા-દિલ્લી એક્સપ્રેસ હાઈવે પણ 12મી તારીખે બંધ કરશે
14મી તારીખે ભાજપના મંત્રીઓનો ઘેરાવ કરશે
14મી તારીખે ભાજપના સાંસદો-ધારાસભ્યોનો ઘેરાવ કરશે
14મી તારીખે ભાજપના જેટલા કાર્યાલયો છે તેનો પણ ઘેરાવ કરશે
સરકાર બેઠકની નવી દરખાસ્ત આપે પછી મળવા વિશે નિર્ણય કરશે
દિલ્લી તરફ કૂચ ક્યારે કરવી તેની યોજના બનાવશે
દિલ્લી તરફ કૂચ ક્યારે કરવી તેની યોજના બનાવશે
છેલ્લા 15 દિવસથી દિલ્હી અને તેની બોર્ડર પર ખેડૂતો ભેગા થઇને કેન્દ્રના કાયદાઓ સામે વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતો સરકારની એક સાંભળવા તૈયાર ન હોય તેવું દેખાઈ રહ્યું છે. બુધવારે સરકારે લેખિતમાં જે પ્રસ્તાવ આપ્યો તેને પણ ખેડૂતોએ ફગાવી દીધો છે ત્યારે ખેડૂતો અગ્રણીઓ કહી રહ્યા છે કે કાયદા પાછા ન લેવાય તો એક બાદ એક દિલ્હીના રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે. આ સિવાય ખેડૂતો કાયદાના વિરોધમાં 14મી તારીખે જિલ્લા મુખ્યાલયોનો ઘેરાવ કરશે ને 12મી તારીખે દિલ્હી-જયપુર માર્ગ બંધ કરવામાં આવશે ત્યારે કેન્દ્ર સરકારે ખેડૂતોને અપીલ કરી છે કે વૃદ્ધો અને બાળકોને ઘરે મોકલી દેવામાં આવે, જોકે હજુ પણ ભીડ એટલી જ છે અને આંદોલન ચાલુ છે.
ફરી અપીલ કરશે કૃષિમંત્રી
ખેડૂતો અતિ આક્રોશમાં દેખાઈ રહ્યા છે ત્યારે આજે ફરીથી આંદોલનને ખતમ કરવા માટે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ખેડૂતોને અપીલ કરશે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર આજે નરેન્દ્ર સિંહ તોમર મીડિયાને સંબોધિત પણ કરશે અને સાથે પણ ખેડૂતોને ફરીથી નવા કૃષિ કાયદાનો વિરોધ ન કરવા અપીલ કરશે. નોંધનીય છે કે ખેડૂતોના વિરોધની વચ્ચે ઘણા બધા કેન્દ્રીય મંત્રીઓ ખેડૂતોને સમજાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આજે પ્રકાસ જાવડેકરે ફરીથી અપીલ કરતા કહ્યું કે નવા કાયદાઓ મુદ્દે ખોટી અફવા કે ગેરમાર્ગે દોરતી ન્યૂઝ પર ધ્યાન આપશો નહીં.
ખેડૂતોની દિલ્લીને ઘેરવાની તૈયારીઓ
ખેડૂત નેતાઓએ સરકારને ચેતવણી આપી છે કે કાયદા પાછા નહીં લો તો એક બાદ એક દિલ્હીના બધા રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવશે. આટલું જ નહીં ખેડૂતો સિંઘુ બોર્ડરથી દિલ્હીમાં દાખલ થઇ જવાનો નિર્ણય પણ લઇ શકે છે. ખેડૂત નેતા રાકેશ ટિકેતે કહ્યું કે જે પ્રસ્તાવ આપવામાં આવ્યો છે તેમાં બિલ પાછા લેશે તેની કોઈ વાત નથી, સરકાર તેમાં સંશોધન કરવા માંગે છે જ્યારે અમારી માંગ છે કે સરકાર આખા બિલને રદ કરે. એ સિવાય કોઈ રસ્તો નીકળતો દેખાતો નથી.