જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજના હેઠળ 6000 રૂપિયા વાર્ષિક તમારા એકાઉન્ટમાં જમા થાય છે. તો તમારા માટે ખુશખબર છે.
મોદી સરકારની તરફથી ખેડૂતોની આવક વધારવા યોજના
દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે
જાણો શું છે કિસાન માનધન યોજના
મોદી સરકારની (Modi government)ની તરફથી ખેડૂતોની આવક વધારવા માટે ધણી યોજનાઓ શરૂ કરી દીધી છે. આ યોજનામાં સૌથી મુખ્ય છે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi). આ યોજના હેઠળ દેશભરના ખેડૂતોના એકાઉન્ટમાં વર્ષના 6000 રૂપિયા મોકલવામાં આવે છે. આ પૈસા વર્ષમાં ત્રણ વખત હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જે ખેડૂત આ યોજનાનો લાભ લે છે તેમના માટે ખુશખબર છે. હવે આ ખેડૂતોને 6000 નહીં વાર્ષિક 36000 રૂપિયા મળી શકે છે. જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમને દર મહિને 3000 રૂપિયા મળી શકે છે. જાણો તેના માટે તમારે શું કરવું પડશે.
આ રીતે મળશે 3000 રૂપિયા મહિના
મોદી સપકારની કિસાન માનધન યોજના (PM Kisan Man Dhan Yojna) હેઠળ ખેડૂતો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના અનુસાર જે ખેડૂતોની ઉંમર 60 વર્ષ થશે તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત ઉઠાવી શકે છે. તેના માટે તેમને ડોક્યુમેન્ટની જરૂર નહીં રહે.
આ ખેડૂતોને મળશે લાભ
જે ખેડૂતોની ઉંમક 18થી 40 વર્ષ છે તે આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે.
ખેડૂતોની પાસે વધારેમાં વધારે 2 હેક્ટરની ખેતી લાયક જમીન હોવી જોઈએ.
આ યોજનામાં ઉંમરના હિસાબથી રૂપિયા જમા કરવાના હોય છે.
આટલા રૂપિયા કરવા પડશે જમા
18 વર્ષના ખેડૂતોને : 55 રૂપિયા મહિને
30 વર્ષના ખેડૂતોને : 110 રૂપિયા મહિને
55 વર્ષના ખેડૂતોને : 200 રૂપિયા મહિને
જે ખેડૂતો આ સમયે પીએમ કિસાન સન્માન નિધિનો લાભ ઉઠાવી રહ્યા છે. તે આ પૈસામાંથી ખેડૂત માનધન યોજનામાં રૂયિયા કપાવી શકે છે. આ ઉપરાંત અલગથી રૂપિયા જમા કરવાની જરૂર નહીં રહે.