કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સિંધુ બોર્ડર પરથી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો છે જેના પર 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે.
સિંઘુ બોર્ડર પરથી એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો
ખેડૂતોએ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પોલીસને સોંપ્યો
આંદોલન તોડવાના ષડયંત્ર રચ્યું હોવાનો દાવો
કૃષિ કાયદાના વિરોધને લઇને ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં નવો વળાંક જોવા મળ્યો છે. હાલ ખેડૂતોએ સિંધુ બોર્ડર પરથી શંકાસ્પદ વ્યક્તિને પકડ્યો છે. જેના પર 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાના ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે.
#WATCH | Delhi: Farmers at Singhu border present a person who alleges a plot to shoot four farmer leaders and cause disruption; says there were plans to cause disruption during farmers' tractor march on Jan 26. pic.twitter.com/FJzikKw2Va
ખેડૂતોએ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લઇને પોલીસને સોંપ્યો છે. ખેડૂતોએ આંદોલન તોડવાનું ષડયંત્ર રચ્યું હોવાના દાવો કર્યો છે. જેમાં ખેડૂતોની રેલીમાં ઉત્પાદ મચવવાનું ષડયંત્ર રચ્યું હોવાનું જણાવામાં આવ્યું છે. 26મી તારીખના આંદોલનમાં સ્ટેજ પર રહેનાર 4 ખેડૂત નેતાઓને ગોળી મારવાનું ષડયંત્રનો દાવો કરવામાં આવ્યો છે.
સૂત્રોને મળતી માહિતી મુજબ ઝડપાયેલા શખ્સે હરિયાણના એક પોલીસ અધિકારીનું નામ પણ લીધું. પોલીસ અધિકારીએ 4 નેતાઓનો ફોટો પણ આપ્યો હતો. ખેડૂતોએ ઝડપાયેલા શખ્સને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.
ઝડપાયેલો શંકાસ્પદ વ્યક્તિ 19 જાન્યુઆરીથી સિંધુ બોર્ડર પર રેકી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ખેડૂત આંદોલન અંગે જાણ મેળવવા 2 ટીમ બનાવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ટ્રેકટર રેલીમાં ખેડૂતો વચ્ચે ભળીને હુમલા કરવાનો પ્લાન બનાવામાં આવ્યો છે.
શંકાસ્પદ વ્યક્તિએ ખુલાસો કર્યો છે કે પ્રદર્શનકારી ખેડૂતો હથિયાર લઇને જઇ રહ્યાં છે કે નહીં, તે અંગે પણ તપાસ કરવા માટે ટીમ લગાવામાં આવી છે. તેણે કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ તેની યોજના પ્રદર્શનકારી ખેડૂતો સાથે મળી જવાની હતી. જો પ્રદર્શનકારીઓ પરેડની સાથે નિકળતા તો અમને તેમના પર ફાયરિંગ કરવા અંગે જણાવામાં આવ્યું હતું.
જેના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમારો સૌથી ડર હક્કીતમાં બદલાય રહ્યો છે. તેઓ ખેડૂત આંદોલનને કોઇપણ પ્રકારે ખત્મ કરવા પ્રયાસો કરી રહ્યાં છે?
સોનીપતનો નિવાસ છે આરોપી યોગેશ
સિંધુ બોર્ડર પરથી પકડાયેલ શંકાસ્પદ યુવકને ક્રાઇમ બ્રાંચની ઓફિસ લઇ જવામાં આવ્યો, જ્યાં તેની પુછપરછ કરવામાં આવી. આરોપી યોગેશ સોનીપતના ન્યૂ જીવન નગરનો નિવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ 9મી નાપાસ છે. તેનો કોઇ આગળ અપરાધિક રેકોર્ડ નથી.