કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે પોતાની લડાઇને વધુ વેગ આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હીની સરહદ પર પહેલાંથી જ અંદાજે 80 દિવસથી આંદોલનકારીઓ રોડ પર બેઠા છે. પરંતુ હવ દેશના અલગ-અલગ ભાગમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોર્ચાએ ગુરુવારના રોજ આ વાતનું એલાન કર્યું છે.
સંયુક્ત મોરચાએ એકવાર ફરી સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન પુરુ કરીશું નહીં. આ સાથે MSP પર કાયદા પણ બનવો જોઇએ.
ક્યારે અને ક્યાં કરશે કિસાન મહાપંચાયત?
સંયુક્ત કિસાન મોરચાનો પ્રયત્ન છે કે હવે રાજ્યોમાં તબક્કાવાર કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે, જેથી દરેક રાજ્યના લોકો આ આંદોલનમાં જોડાઇ શકે અને તેમની વાત પહોંચી શકે.
કિસાન નેતા દર્શન પાલના જણાવ્યાં મુજબ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 12 ફેબ્રુઆરી, હરિયાણાના બહાદુરગઢમાં 13 ફેબ્રુઆરી, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં 18 ફેબ્રુઆરી, રાજસ્થાનના હનુમાન ગઢમાં 19 ફેબ્રુઆરી અને સીકરમાં 23 ફેબ્રુઆરીના રોજ મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે.
અલગ-અલગ રાજ્યમાં ખેડૂત મહાપંચાયત કરવાનું એલાન ત્યારે થયું જ્યારે હાલમાં જ ખેડૂત નેતાઓએ એકવાર ફરી 18 ફ્રેબુઆરીના રોજ રેલ રોકો અભિયાન અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાંક શહેરોમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત સંગઠનોનો દાવો છે કે સરકાર તરફથી આંદોલનને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ટિકરી બોર્ડર પર હરિયાણા સરકાર દ્વારા સીસી