ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં અહીં સૌથી ગરીબ ખેડૂત જ છે. વળી ખેડૂતોની માંગો ઉપર પણ ધ્યાન આપવામાં ન આવતું હોવાની પણ ખેડૂતોની ફરીયાદ છે વારંવાર ખેડૂતો દ્વારા રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી ન હલતુ હોવાની રાવને લઈને ખેડૂતો દ્વારા 8મી જાન્યુઆરીના દિવસે ગ્રામીણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ખેડૂત સંગઠનનું 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન
200 જેટલા ખેડૂત સંગઠનોએ આપ્યુ બંધનું એલાન
દૂધ તેમજ અન્ય સામગ્રી શહેરમાં ન મોકલીને કરશે વિરોધ
ખેડૂત સંગઠન દ્વારા 8 જાન્યુઆરીએ ગ્રામીણ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. 200 જેટલા ખેડૂત સંગઠનોએ બંધના એલાનને ટેકો આપ્યો છે. વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂતો સરકાર સામે વિરોધ કરશે. શાકભાજી, દૂધ તેમજ અન્ય સામગ્રી શહેરમાં ન મોકલીને વિરોધ દર્શાવશે.
સરકાર સામે ખેડૂતોને શું છે પ્રશ્નો
કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં હજુ સુધી સહાય નથી મળી.
ખેડૂતો છેલ્લા ઘણા સમયથી દેવામાફીની માંગ કરી રહ્યા છે.
60 વર્ષ બાદ પણ હજુ સુધી ખેડૂતોને પેન્શન નથી મળ્યું.
પરાળી બાળવા મુદ્દે ખેડૂતો પરના કેસ પાછા ખેંચવાની પણ માંગ.
દૂધના ભાવમાં 5 રૂપિયા સબસિડી મળતી નથી તે અંગે પણ રજૂઆત.