પાકિસ્તાનના પંજાબમાં કરોડોના ખર્ચે સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ હતું. પરંતુ ઈમરાન સરકાર દ્વારા હાલ તે સ્ટેડિયમને ખેતરમાં ફેરવી દેવામાં આવ્યું છે જ્યા શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે
પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડિમ બન્યું ખેતર
ક્રિકેટ સ્ટેડિયમમાં ઉગાડવામાં આવે છે શાકભાજી
કરોડોના ખર્ચે બનેલું સ્ટેડિયમ બનાવ્યું ખેતર
પાકિસ્તાન ભલે તાલિબાનને સમર્થન આપે પરંતુ તે તેમનાજ દેશનો વિકાસ નથી કરી શકતું આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે. કારણકે જે સ્ટેડિયમમાં ક્રિકેટરો એક સમયે ક્રિકેટ રમતા હતા. તેજ સ્ટેડિયમને તેમણે ખેતર બનાવી દીધું. સાંભળીને તમને હસું આવશે પરંતુ આ વાત તદ્દન સાચી છે. ક્રિકેટ સ્ટેડિમને ખેતર બનાવી દેતા ઈમરાન સરકાર સામે ઘણા સવાલો ઉઠ્યા છે.
લોકોના મનમાં ઉઠ્યા સવાલ
પાકિસ્તાની મીડિયા દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલો વિશ્વની સામે આવ્યો છે. લોકોના મનમાં એ સવાલ થઈ રહ્યો કે આખરે એવી તો કઈ મજબૂરી હતી કે સ્ટેડિયમમાં ખેતર બનાવવું પડવું.
પાકિસ્તાનના પંજાબનું સ્ટેડિયમ બન્યું ખેતર
જે સ્ટેડિયમમાં પહેલા ક્રિકેટરો રમતા હતા તે સ્ટેડિયમમાં હાલ મરચાની ખેતી થઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલ ખાનેવાલ સ્ટેડિયમને ખેતર બનાવી દેવામાં આવ્યું છે. આ સ્ટેડિયમને એક સમયે કરોડોના ખર્ચે બનાવામાં આવ્યું હતું.
શોએબ અખ્તરે દુખ વ્યક્ત કર્યું
ક્રિકેટરો અહીયા પ્રેકટિસ કરી શકે તે માટે અહીયા સ્ટેડિયમ બનાવામાં આવ્યું હતું. હાઈ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આ સ્ટેડિયમ બનાવામાં આવ્યું હતું પરંતુ હાલ અહીયા મરચા અને શાકભાજી ઉગાડવામાં આવી રહ્યા છે. આ મામલે પાકિસ્તાનના બોલર શોએબ અખ્તરે પણ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.
2009માં આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે 2009માં શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં ગઈ હતી. તે સમયે તેમની પર આંતકી હુમલો થયો જેના કારણે ઈન્ટરનેશનલ ટીમોએ પાકિસ્તાન જવાનું બંધ કરી દીધું. જોકે હાલજ થોડા સમય પહેલા ઝિમ્બાવે, શ્રીલંકા, બાંગ્લાદેશ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આક્રિકાની ટીમ પાકિસ્તાન ગઈ હતી.