Poet Munawwar Rana: ફેમસ શાયર મુનવ્વર રાણાની અચાનક જ તબિયત લથડી છે. તેમને લખનૌઉના અપોલો હોસ્પિટલમાં ICUમાં એડમિટ કરવામાં આવ્યા છે.
શાયર મુનવ્વર રાણાની તબિયત લથડી
ICUમાં કરવામાં આવ્યા દાખલ
લખનૌઉના અપોલો હોસ્પિટલમાં છે એડમિટ
ફેમસ શાયર મુનવ્વર રાણાની અચાનક તબિયત બગડી છે. તેમને લખનૌઉના અપોલો હોસ્પિટલના ICUમાં એડમિટ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર છે. આ વાતની જાણકારી તેમની દિકરી સુમૈયા રાણાએ આપી છે.
સુમૈયાએ વીડિયો બનાવીને પિતાની ખરાબ સ્વાસ્થ્યની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ઘણા દિવસોથી મુનવ્વર રાણાની તબિયત ખરાબ ચાલી રહી હતી. પરંતુ હવે વધારે ખરાબ થવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વીડિયોમાં લોકોને પિતાના જલ્દી સ્વસ્થ્ય થવાની પ્રાર્થના કરવાની અપીલ કરી છે.
ત્રણ દિવસથી તબિયત વધારે બગડી
સુમૈયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસથી પિતાની તબિયત વધારે ખરાબ હતી. તે આ સમયે ડોક્ટર્સના ઓબ્ઝર્વેશનમાં છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે ડોક્ટરે કહ્યું છે કે પપ્પા માટે આવતા 71 કલાક મુશ્કેલ છે. ડોક્ટર સતત તેમની તબિયત પર નજર રાખી રહ્યા છે. આશા છે કે પપ્પા જલ્દી જ ઠીક થઈ જાય.
લાંબા સમયથી બિમાર છે મુનવ્વર રાણા
મુનવ્વર રાણાની ઘણા લાંબા સમયથી તબિયત ખરાબ ચાલી રહી છે. આ પહેલા પણ વધારે તબિયત બગડવા પર તેમને લખનૌઉના એસજીપીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે પહેલા તેમની દિલ્હીમાં પણ સારવાર ચાલી રહી હતી. જણાવી દઈએ કે મુનવ્વર રાણાને કિડનીની મુશ્કેલી છે. જેના કારણે તે ઘણા સમયથી ડાયલિસિ કરાવી રહ્યા છે.
ફેમસ શાયર અને કવિ છે મુનવ્વર રાણા
જણાવી દઈએ કે મુનવ્વર રાણા દેશના ફેમસ શાયર અને કવિ છે. તેમને ઉર્દુ સાહિત્ય માટે 2014નો સાહિત્ય એકેડમી પુરસ્કાર અને 2021માં શહીદ શોધ સંસ્થાન દ્વારા માટી રત્ન સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે વધતી અસહિષ્ણુતાના કારણે તેમને કોઈ પણ સરકારી પુરસ્કાર ન લેવાની કસમ ખાધી હતી.