આમ તો પાકિસ્તાન આંતકવાદને લઈને દુનિયાભરમાં ચર્ચિત છે. પણ શું તમે ત્યાંના સ્થાનીય કિલ્લાઓ વિષે જાણો છો. આજે અમે તમને જણાવીએ પાકિસ્તાનના તેવા આલિશાન અને ઐતિહાસિક કિલ્લાઓ વિષે જે એક સમયે ભારતની શાન હતા પણ વિભાજન બાદ આ તમામ કિલ્લાઓ પાકિસ્તાનના હિસ્સામાં આવ્યા.
ડેરાવર કિલ્લો
પાકિસ્તાનના બહાવલપુરમાં ડેરા નવાબ સાહેબથી 48 કિલોમીટર દુર સ્થિત ડેરાવર કિલ્લો જે જૈસલમેરના રાજપૂત રાય જ્જ્જા ભાટીએ બનાવ્યો હતો. આ એતિહાસિક મહેલની દીવાલ 30 મીટર ઉંચી છે. અને તેમનો ઘેરો 1500 મીટર છે. આ કિલ્લો એટલો આલિશાન છે કે ચોલિસ્તાન રેગિસ્તાનમાં કેટલાય કિલોમીટર દુરથી પણ દેખાય છે.
અલ્લીત કિલ્લો
પાકિસ્તાનમાં કરીમાબાદમાં સ્થિત અલ્લીત કિલ્લો 900 વર્ષ જુનો છે. અને આ કિલ્લો હુંઆ સ્ટેટના રાજાઓનો હતો. અને જેમને મીર તરીકે ઓળખતાં. એક સમયે આ કિલ્લો તદ્દન ભાંગી પડ્યો હતો. અને ત્યારબાદ આગા ખાન ટ્રસ્ટે નોર્વે અને જાપનની મદદથી તેમનો જીણોદ્વાર કરાવ્યો.
રોહતાસ કિલ્લો
પાકિસ્તાનના ઝેલમ શહેરમાં દીના ટાઉન પાસે સ્થિત રોહતાસના કિલ્લાને શેરશાહ સૂરીને વર્ષ 1540થી 1547ની વચ્ચે બનવવામાં આવ્યો હતો. આ કિલ્લાને બનાવવા 30 હજાર લોકોએ મહેનત કરી છે.12 દરવાજાવાળા આ આલિશાન કિલ્લા પર મુગલોનો પણ અધિકાર છે.
રોયલ કિલ્લો
અંદાજીત 20 હેક્ટરમાં ફેલાયેલા લાહોરમાં સ્થિત રોયલ કિલ્લો પાકિસ્તાનના લોકપ્રિય કિલ્લામાંથી એક છે. માનવામાં આવી રહ્યું છે કે આ કિલ્લો ઈ.સ. 1560માં મુગલ બાદશાહ અકબરે બનાવ્યો હતો. આલમગીરી દરવાજાથી આ કિલ્લામાં પ્રવેશ થઈ શકે છે. જેમને વર્ષ 1618માં જહાંગીરે બનાવ્યો હતો. 1400 ફૂટ લાંબો અને 1115 ફૂટ પહોળો આ કિલ્લો યુનેસ્કોની વિશ્વ ધરોહર સૂચીમાં પણ શામેલ છે.
રાનીકોર્ટ કિલ્લો
પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં જમશેરોમાં કિર્થર રેજના લક્કી પહાડ સ્થિત રાનીકોર્ટ કિલ્લાને 'સિંઘ કી દીવાર' પણ કહેવામાં આવે છે. આ કિલ્લો 32 કિલોમીટરમાં ફેલાયેલો છે. અને આ દુનિયાનો સૌથી મોટો કિલ્લો પણ છે. આ કિલ્લાના નિર્માણને લઈને અલગ અલગ વાતો થઈ રહી છે. કોઈ કહે છે કે આ કિલ્લો 20મી સદીની શરૂઆતમાં બન્યો છે. તો કોઈ કહે છે આ કિલ્લો ઈ.સ. 836માં સિંઘના ગર્વનર રહેલા પર્સિયન નોબલ ઇમરાન બિન મુસા બર્મકીએ કરાવ્યો છે. પરંતુ હકકીતમાં કોણે બનાવ્યો છે તે કોઈ જાણતું નથી.