બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Fadnavis returns to power after Thackeray's resignation, find out what the next strategy is

BIG NEWS / ઠાકરેના રાજીનામાં બાદ ફરી સત્તાના પગથિયા પર પહોંચ્યા ફડણવીસ, જાણો શું છે આગળની રણનીતિ

ParthB

Last Updated: 08:53 AM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં રાજનૈતિક અસ્થિરતા અંત તરફ શિવસેનાના બળવાખોર ધારાસભ્યો શપથગ્રહણ સમયે મુંબઇ આવશે. હાલ બળવાખોર ધારાસભ્યો ગોવામાં રોકાયેલા છે

  • મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા અંત તરફ
  • શિવસેના બળવાખોર ધારાસભ્યો નહીં આવે મુંબઇ
  • શપથગ્રહણ સુધી રોકાશે ગોવામાં
  • ભાજપે મીઠાઇથી દેવેન્દ્ર ફડણવીસનું મોઢું કરાવ્યું મીઠું

મહારાષ્ટ્રમાં રાજનૈતિક અસ્થિરતા અંત તરફ

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના ફ્લોર ટેસ્ટ કરાવવાના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. બળવાખોર શિવસેના ધારાસભ્યો, જેઓ આજે 30 જૂને ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવા માટે ગોવાથી મુંબઈ પહોંચવાના હતા, હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે ત્યારે સીધા મુંબઈ પહોંચે તેવી અપેક્ષા છે.

ભાજપ, શિવસેનાના બળવાખોર અને અપક્ષ ધારાસભ્યો સાથે બનશે સરકાર

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, મહારાષ્ટ્ર બીજેપીના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું કે જે ધારાસભ્યો (શિવસેનાના બળવાખોર ધારાસભ્યો) ગઈકાલે મુંબઈ પહોંચી રહ્યા હતા, હું તેમને આવતીકાલે ન આવવા વિનંતી કરું છું. તેઓ શપથગ્રહણના દિવસે આવે છે. જ્યારે મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ વચ્ચે, ભાજપ સરકારની રચના વિશે, ભૂતપૂર્વ મુખ્યમંત્રી  નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ વિશે આગામી એક-બે દિવસમાં બધું જ જાણવા મળશે.

ભાજપે મીઠાઇથી દેવેન્દ્ર ફડણવીસનું મોઢું કરાવ્યું મીઠું

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર ભાજપના તમામ ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યો સાથે સરકારની રચના અંગે ચર્ચા કરવા માટે બેઠક પણ યોજી હતી. મુંબઈની એક હોટલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક દરમિયાન ભાજપના નેતાઓએ પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ભાજપના નેતાઓએ દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવીને આગામી રાજ્યાભિષેક માટે શુભેચ્છા પાઠવી હતી.

વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરે રહેશે 

અગાઉ, રાજ્યપાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું સ્વીકાર્યું હતું અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉદ્ધવને મુખ્યમંત્રી તરીકે ચાલુ રાખવા જણાવ્યું હતું. જ્યારે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મુખ્યમંત્રી તરીકે રાજીનામું સુપરત કર્યા પછી, ઉદ્ધવ ઠાકરેએ પુત્રો આદિત્ય અને તેજસ સાથે મંદિરમાં પ્રાર્થના કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ