શિવલિંગ પર ગંગાજળ સાથે બીલીપત્ર ચઢાવવાથી દેવોના દેવ મહાદેવ જલ્દી પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાથી અદૂરી કામનાઓ પૂરી થઈ જાય છે. બીલીપત્રને સંસ્કૃતમાં 'બિલ્વપત્ર' કહેવામાં આવે છે. માન્યતા છે કે બીલીપત્ર અને જળથી ભગવાન શંકરનું મસ્તીષ્ક શીતળ રહે છે. પૂજામાં તેનો પ્રયોગ કરવાથી તેઓ ખુબ જલ્દીથી પ્રસન્ન થઈ જાય છે.
આ તિથિઓ પર ન તોડવા જોઈએ બીલીપત્ર
બીલીપત્રને તોડતી વખતે ભગવાન શિવનું મનમાં સ્મરમ કરવું જોઈએ. ચોથ આઠમ નોમ ચતુર્દશી અને અમાવસ્યા તિથી પર બીલીપત્ર ન તોડવા જોઈએ. સાથે જ તિથિયોના અયનકાળ અને સોમવારે પણ બીલીપત્ર ન તોડવા જોઈએ. બીલીપત્રને ક્યારેય ડાળી સાથે ન તોડવા જોઈએ. સાથે જ તેને ત્રણ પત્તા સાથે તોડીને ભગવાનને અર્પણ કરવા જોઈએ.
બીલીપત્ર નથી થતુ વાસી
બીલીપત્ર એક એવું પત્ર છે જે ક્યારેય પણ વાસી નથી થતુ. ભગવાન શિવની પૂજામાં વિશેષ રૂપથી પ્રયોગમાં લેવામાં આવતા આ પવિત્ર પત્ર વિશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે એક વાર ઉપયોગમાં લેવાયેલા પત્રને ધોઈને ઘણીવાર તેનો ઉપયોગ કરી શકાય છે.
બીલીપત્રનું મહત્વ
શિવપુરાણ અનુસાર શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ પર ચઢાવવાથી એક કરોડ કન્યાદન બરાબર ફળ મળે છે. શિવલિંગની બીલીપત્ર વડે પૂજા કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને સૌભાગ્યનો ઉદય થાય છે. બીલીપત્રથી ભગવાન શિવ જ નહીં તેમના અંશાવતાર બજરંગબલી પણ પ્રસન્ન થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં બીલીપત્રનું વૃક્ષ લગાવવાથી કુટુમ્બ વિભિન્ન પ્રકારના પાપોના પ્રભાવથી મુક્ત થઈ જાય છે.