મોદી સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સામાન્ય પ્રજાને મોટી રાહત આપી છે ત્યારે ગૃહમંત્રીએ આ નિર્ણય બાદ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
મોદી સરકારે મોંઘવારી પર લીધો મોટો નિર્ણય
કેન્દ્ર અને રાજ્યો બંનેએ ટેક્સ ઘટાડ્યા
અમિત શાહે કહ્યું આ ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે
ખૂબ સંવેદનશીલ નિર્ણય, લોકોને મળશે રાહત: અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે ટ્વિટ કરીને દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલ પર સરકાર દ્વારા મળેલ રાહત મુદ્દે મોટું નિવેદન આપ્યું, ગૃહમંત્રીએ પીએમ મોદીના નિર્ણયને ખૂબ જ સંવેદનશીલ ગણાવ્યો હતો.ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ પેટ્રોલ ડીઝલ પર ટેક્સ ઓછા કરીને ભાવ ઘટાડો કરીને સામાન્ય પ્રજાને મોટી રાહત આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવવધારા છતાં કિંમતોમાં આ પ્રકારની રાહત ખૂબ જ સંવેદનશીલ નિર્ણય છે, આ કામ માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરું છું. ગૃહમંત્રીએ કહ્યું કે આ નિર્ણયથી માત્ર સામાન્ય માણસને રાહત મળશે એટલું જ નહીં, મોંઘવારી પણ ઓછી થઈ જશે.
प्रधानमंत्री @narendramodi जी ने पेट्रोल व डीजल पर Excise Duty घटाकर उनकी कीमत को क्रमशः ₹5 व ₹10 कम करके दीपावली पर आम जनता को बहुत बड़ी राहत दी है।
अंतरराष्ट्रीय स्तर पर बढ़ी कीमतों के बाद भी दी गयी ये राहत बहुत ही संवेदनशील निर्णय है।इसके लिए मोदीजी का आभार व्यक्त करता हूँ।
મોંઘવારીમાંથી રાહત આપવા લેવાયો મોટો નિર્ણય
દિવાળીનાં એક દિવસ પહેલા જ મોદી સરકારે મોંઘવારી સામે સૌથી મોટો નિર્ણય કર્યો અને મિડલ ક્લાસને રાહત આપવા માટેની સૌથી મોટી જાહેરાત કરી છે. દેશમાં આજથી પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ લાગુ કરી દેવામાં આવ્યા છે, ગઇકાલે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનું એલાન કર્યું જે બાદ જુદા જુદા રાજ્યો પણ આગળ આવ્યા જેમા ગુજરાત પણ સામેલ છે. આમ કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો દ્વારા રાહતના એલાન બાદ ગુજરાતમાં ડિઝલના ભાવ 17 જ્યારે પેટ્રોલના ભાવ 12 રૂપિયા એક ઝાટકે ઓછા થયા છે. એક રિપોર્ટ અનુસાર ટેક્સ ઘટવાના કારણે કેન્દ્ર સરકારને અત્યારે જ 45 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે. જાપાની બ્રોકરેઝ કંપની નોમુરો અનુસાર સરકારનાં આ નિર્ણયથી સરકારની તિજોરી પર નાણાકીય વર્ષમાં જ એક લાખ કરોડ રૂપિયાની અસર પડશે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના વધેલા મહિનામાં જ 45 હજાર કરોડ રૂપિયાની અસર થશે.
હવે પેટ્રોલ 12 રૂ. અને ડીઝલ 17 રૂ. સસ્તુ!
ભારતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગયો છે અને લગભગ રોજ 35 પૈસા મોંઘુ થઈ રહ્યું છે. 4 ઓક્ટોબર 2021થી 25 ઓક્ટોબર સુધી પેટ્રોલની એવરેજ કિંમત 8 રૂપિયા વધ્યું છે. પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને એક મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કરતા પેટ્રોલમાં 5 રુપિયા અને ડીઝલમાં 10 રુપિયા સસ્તું થયું છે. તો આ સાથે ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. જેને લઇને ગુજરાતની જતાને મોટી રાહત મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેના નિર્ણય બાદ ગુજરાતમાં સરેરાશ પેટ્રોલ 12 રૂપિયા અને ડીઝલ 17 રૂપિયા સસ્તુ થયું છે. મહત્વનું છે કે ગુજરાત સહિત બિહાર, આસામ અને ત્રિપુરા સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. તો આ સિવાયના અન્ય રાજ્યો પણ ટુંક સમયમાં વેટમાં ઘટાડો કરશે. જેને લઇને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થશે. દિવાળીની પૂર્વસંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ગુરુવારથી ક્રમશ 5 રુપિયા અને 10 રુપિયા ઘટી જશે. પેટ્રોલની તુલનામાં ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો બમણો હશે. તો ગુજરાત સરકારે વેટમાં કરેલા ઘટાડાના કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતોને મોટો ફાયદો થશે.