દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ, લેડી હોર્ડિંગ અને સફદરજંગ હોસ્પિટલમાં હવે કોઈ પણ એન્ટીજન તપાસ કરાવી શકશે. ડૉક્ટરની ચિઠ્ઠીની જરુર નહીં રહે. આ માટે નવું કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત દિલ્હી સરકારના લેડી હોર્ડિંગ અને સફદરજંગના તમામ દર્દીઓ અને તેમના સગાઓને એન્ટીજન ટેસ્ટ કરાવાશે. આરટી પીસીઆર તપાસ કરાવવા માટે હવે ઓછા દર્દીઓ હોસ્પિટલ આવે છે. જેને લઈને હોસ્પિટલોએ આ નિર્ણય લીધો છે.
આરટી- પીસીઆરના પરિણામ આવવામાં 3-4 દિવસ લાગે
આરટી પીસીઆરની તપાસ લગભગ અડધી થઈ ગઈ છે
800-900 લોકો આવતા હતા હવે તે બહું ઓછા થઈ ગયા
લોહિયા હોસ્પિટલના ડૉ. મનિષ પ્રભાકરે જણાવ્યું કે દિલ્હીમાં હવે રેપિડ એન્ટીજન ટેસ્ટની સંખ્યા સતત વધી રહી છે. જેથી આરટી પીસીઆરની તપાસ લગભગ અડધી થઈ ગઈ છે. આરટી- પીસીઆરના પરિણામ આવવામાં 3-4 દિવસ લાગે છે. એન્ટીજન કિટથી અડધા કલાકમાં તપાસ રિપોર્ટ મળી જાય છે. જો કે મોટા ભાગના લોકો એન્ટીજન તપાસને મહત્વ આપે છે. લોકો એ જાણે છે કે કોરોનાની તપાસ કરાવી રહ્યા છે. તેમને એ નથી ખબર હોતી કે કયો ટેસ્ટ થઈ રહ્યો છે. તેમને કઈ તપાસ યોગ્ય છે કયુ સ્ક્રીનિંગ બરાબર છે તે ખબર હોતી નથી. આરટી-પીસીઆરની તપાસ માટે પહેલા 2 અઠવાડિયા પહેલા 800-900 લોકો આવતા હતા હવે તે બહું ઓછા થઈ ગયા છે. 250 થી 300 લોકો રોજના આવે છે.
આરટી-પીસીઆર અને રેપિડ એન્ટીજનમાં શુ ફર્ક છે
1. સફદરજંગ હોસ્પિટલના ચેરમેન ડૉ. જુગલ કિશોરે કહ્યું કે આરટી-પીસીઆર પરીક્ષણમાં નાક અને સલાઈવાના એમ બંનેના નમૂના લેવામાં આવે છે. જ્યારે રેપિડ એન્ટીજનમાં માત્ર નાકમાંથી નમૂના લેવાય છે.
2. આરટી-પીસીઆરમાં વાયરસના આરએનએ અથવા ડીએનએ જોવા મળે છે. કોરોના આરએનએ પ્રકારનો વાયરસ છે. જેથી તે તપાસમાં પકડાઈ જાય છે.
3. એન્ટીજન ટેસ્ટમાં વાયરસના એન્ટીજન જોવા મળે છે. આ બાહ્ય તત્વો હોય છે જે રોગપ્રતિકારક તત્વોને એન્ટિબોડીઝ બનાવવા માટે મદદ કરે છે. એન્ટીજન ટેસ્ટમાં જો વાઇરસના એન્ટીજન અથવા પ્રોટીન ન મળે એના 2 અર્થ છે કાં તો તેને વાયરસ નથી અથવા તેના એન્ટીજન હજુ ઓછા છે જેથી તે દેખાતા નથી.