રણવીર સિંહ બોલિવૂડના એવા એક્ટરમાં સામેલ છે જેણે પોતાના દમ પર ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવ્યો છે અને સ્ટારડમ મેળવ્યુ છે. હટકે ફેશન ચોઇસના કારણે ચર્ચામાં રહેતા રણબીરને સામાન્ય લોકો ભલે ફોલો ન કરી શકે, પરંતુ તેની પર્સનાલિટીની ઘણી એવી ખાસિયતો છે જેમાથી લોકો પ્રેરણા લે તો પણ એક સારી વ્યક્તિ બની શકે છે. ચાલો આજે જાણી લો રણવીર સિંહની એવી જ કેટલીક ખાસિયતો વિશે.
ડાઉન ટુ અર્થ આ રણવીરના નેચરની સૌથી મોટી ખાસિયત છે. સ્ટારડમ મેળવ્યા બાદ પણ આ અભિનેતાએ પોતાના નેચરને ડાઉન ટુ અર્થ રાખ્યો છે. તે પાપારાઝીથી લઇને ફેન્સને પણ દિલ ખોલીને મળે છે. આ વાત લોકોમાં તેને ફેવરિટ બનાવે છે. સફળતા મળ્યા બાદ પણ ડાઉન ટુ અર્થનો ગુણ દરેક વ્યક્તિમાં હોવો જોઇએ. જો વ્યક્તિને કોઇ પદ મળ્યા બાદ અભિમાન આવી જાય તો લોકો પણ તેનાથી અંતર જાળવવા લાગે છે. જો તમારી આસપાસ કોઇ નહીં હોય તો સફળતાનો આનંદ કેવી રીતે માણી શકશો.
રણવીરનું ખુલીને મળવું સામેવાળી વ્યક્તિને સહજ બનાવવામાં પણ મદદ કરે છે. ઘણી લોંચિંગ ઇવેન્ટ્સમાં બધાં એ વાતને જોઇ ચુક્યા છે કે રણવીર પોતાના કો-સ્ટાર કે મંચ પર હાજર કોઇ અન્ય વ્યક્તિને કેટલા સહજ બનાવી દે છે. કોઇ વ્યક્તિ અસહજતા અનુભવતુ હોય ત્યારે તે બધી બાબતોને પોતાની પર લઇને સિચ્યુએશનને લાઇટ બનાવી દે છે. જો પહેલી મુલાકાત ઓકવર્ડ રહે તો સામેની વ્યક્તિ બીજીવાર મળવાથી પીછેહઠ કરે છે.
રણવીર સિંહ કોઇ પણ પરિસ્થિતિને શાંતિથી સંભાળવામાં માહેર છે. તે ક્યારેય કોઇ પણ પ્રેસમીટમાં કોઇ પત્રકાર કે કેમેરામેન કે અય કોઇ વ્યક્તિ પર ભડક્યો હોય તેવું જોવા મળ્યુ નથી. તેના હાજર જવાબ નેચરના કારણે તે કોઇ પણ વ્યક્તિને શાંતિથી સાંભળે છે. તે ઝઘડામાં ફસાતો નથી.
રણવીર સિંહ મસ્તમોલા છે, પરંતુ તે વડીલો અને મહિલાઓની ખુબ ઇજ્જત કરે છે. તે સામાન્ય લોકો સાથે પણ સન્માન પુર્વક વર્તે છે. તે ઘણી અભિનેત્રીઓની પણ મદદ કરે છે. જો વ્યક્તિ વડીલો અને મહિલાઓની મદદ ન કરે તો કોઇ તેને પસંદ ન કરે.