છેલ્લા આઠ દિવસથી દિલ્હીની ભાગોળે ડેરો જમાવીને બેઠેલા વિવિધ રાજ્યના ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે દિલ્હીમાં ચોથા રાઉન્ડની બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં ખેડૂત સંગઠનોના અગ્રણીઓ અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કેન્દ્રીય કૃષિ સચિવે ભાગ લીધો હતો, આ બેઠકના અંતે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે એમએસપી ના મામલે કોઈ પણ પરિવર્તન થવાનું નથી.
સરકારે કહ્યું,"MSP નહીં બદલાય"
ખેડૂત નેતાઓ કાયદા હટાવવાની માંગણી પર અડગ
આજે યોજાઇ હતી ચોથા રાઉન્ડની બેઠક
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આજે બપોરે 12 વાગ્યે શરુ થયેલી બેઠક લગભગ આઠ કલાક ચાલી હતી અને આ બેઠક બાદ સરકારે સપષ્ટ કર્યું હતું કે MSP મુદ્દે ચાલી રહેલી વ્યવસ્થા હજુ આગળ પણ ચાલુ જ રહેવાની છે, આ મુદ્દે કોઈ પણ બદલાવ થવાનો નથી, જો કે આ સ્પષ્ટતા બાદ એવું કહી શકાય કે સરકાર MSP ના મુદ્દે ખેડૂતો સામે ઝૂકવા માટે તૈયાર નથી.
MSP (Minimum Support Price) will not be touched, no changes will be made to it: Agriculture Minister Narendra Singh Tomar replies to farmer leaders during their meeting at Vigyan Bhavan in Delhi
સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે આ મિટિંગ દરમિયાન વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે બે વાર ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાતચીત કરી હતી, જો કે સરકાર અને ખેડૂતો બંને પોતપોતાની ડિમાન્ડ ઉપર હજુ અડગ છે.
They (agitating farmers) also expressed their concerns over an Ordinance on stubble burning and the Act on electricity. The govt is open to consider & discuss these issues as well: Union Agriculture Minister Narendra Singh Tomar pic.twitter.com/MzWh6l5LjB
બીજી બાજુ ખેડૂત સંગઠનોએ સરકારને અલ્ટીમેટમ આપી દીધું છે જેમાં કહ્યું છે કે સરકાર હવે માત્ર કાયદાઓને પાછા લેવાની ઘોષણા કરે નહીં તો અમે આગળની મિટિંગમાં નહિ આવીએ, આ મુદ્દે જો કે હજુ પણ બંને પક્ષ પોતપોતાના સ્ટેન્ડ પર અડગ દેખાઈ રહયા છે.
The issue is about the complete roll back of laws. Not only one but discussions will also be held on several issues. Farmers want that the laws be taken back. Government wants to talk about MSP and amendment to the Acts: Rakesh Tikait, Spokesperson, Bharatiya Kisan Union https://t.co/xKJX6ZqzRX
We are hopeful. The laws are wrong. In the next meeting, we will put pressure on the government. They will have to say that they will take back the laws. In my opinion, it will be finalised in the meeting day after tomorrow: Harjinder Singh Tanda, Azaad Kisan Sangharsh Committee https://t.co/hM9GOKT5Zk
વધુમાં ખેડૂત સંગઠનોએ જણાવ્યું હતું કે સ્થિતિ હવે તેમના કંટ્રોલમાં રહી નથી અને હવે ખેડૂતો ને સમજાવવું તેમના હાથમાં રહ્યું નથી. ખેડૂત અગ્રણીઓએ કહ્યું હતું કે આ આંદોલન હવે માત્ર ખેડૂતોનું નહિ પરંતુ જન આંદોલન બની ચૂક્યું છે અને હવે સરકારે તેના કાયદાઓને પાછા લેવા જ પડશે ત્યારે જ આ આંદોલન ખતમ થશે.