કોરોના વાયરસ મહામારીની વચ્ચે દેશમાં બર્ડ ફ્લૂનું સંકટ વધી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર પણ હવે આ મુદ્દે અલર્ટ તે ગઈ છે અને રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા મંગળવારે બધા જ રાજ્યોના મુખ્ય સચિવ તથા વાણીજીવ બોર્ડને આ પત્ર લખવામાં આવ્યો છે અને બધા રાજ્યોને એવિયન ઇનફ્લુએન્જા માટે રાજ્ય સ્તર પર નજર રાખવા માટે સમિતિ બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
બધા રાજ્યોને લખાયો પત્ર
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે પશુપાલન વિભાગ દ્વારા સેમ્પલીંગ ટેકનિક માટે આયોજિત ટ્રેનિંગમાં બહગ લેવા માટે કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવે. સાથે સાથે પ્રવાસી પક્ષિયોની મોત અને આ મુદ્દાને સંબધિત દરેક જાણકારી પણ પર્યાવરણ મંત્રાલયને આપવામાં આવે.
કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો
ભારતના વિવિધ રાજ્યોમાં બર્ડફ્લૂના મામલા સામે આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે પ્રવાસી પક્ષીઓ પર નજર રાખવા માટે પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યોને પ્રવાસી પશુ-પક્ષીના નમૂનાના સંગ્રહ માટે સહયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે ક્ષેત્રોમાં પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યાં ખાસ નજર રાખવામાં આવશે.
રાજ્યોને રિપોર્ટ મોકલવા આદેશ
પર્યાવરણ મંત્રાલય દ્વારા રાજ્યોને પ્રાણી સંગ્રહાલયોમાં સતર્કતા રાખવા માટે કહેવામાં આવ્યું છે બધા જ રાજ્યોને મહત્વપૂર્ણ પક્ષી સ્થળોની જાણકારી માટે દર સપ્તાહમાં એક રીપોર્ટ મોકલવા માટે આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને આદેશ આપ્યા છે કે આ બીમારીના પ્રસારને રોકવા માટે દરકે સંભવ પગલાં ભરવામાં આવે અને આવા કોઇ પણ સંકેત મળે તો પક્ષીઓ પર નજર રાખવામાં આવે.
ભારતમાં કેમ વધી રહી છે ચિંતા
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશ, કેરળ અને રાજસ્થાનમાં બર્ડ ફ્લૂના કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓની મોત થઈ છે અને હિમાચલમાં જે વિસ્તારમાં બર્ડ ફ્લૂ સામે આવ્યો છે ત્યાં આસપાસના વિસ્તારમાં પક્ષીઓને મારી નાખવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
કેરળમાં છેલ્લા બે-ત્રણ દિવસમાં જ બે જ જિલ્લામાં 12 હજારથી વધારે બતક મરી ગઈ છે અને અહિયાં પણ રાજ્ય સરકાર પક્ષીઓને મારવા જઈ રહી છે. મધ્ય પ્રદેશમાં પણ સરકાર દ્વારા અલર્ટ આપી દેવામાં આવ્યું છે.