બિહાર મુઝફ્ફરપુર જિલ્લાની એક કોર્ટે બોલિવુડના દબંગ એક્ટર સલમાન ખાનની વિરુદ્ઘ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સલમાન ખાન અને તેના પ્રોડક્શનમાં હેઠળ બનેલી ફિલ્મ 'લવરાત્રિ'ની સામે નોંધાયેલી ફરિયાદ પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.
મુઝફ્ફરપુરની કોર્ટમાં લવરાત્રિ ફિલ્મના ટાઇટલથી હિંદુઓની ભાવનમાઓને ઠેસ પહોંચી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. સુધીર કુમાર ઓઝા નામના વકિલે સલમાનની ફિલ્મ 'લવરાત્રિ' પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોનુસાર કોર્ટના આદેશ પછી અહીંના મિઠનપુરા પોલિસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર સલમાન ખાન અને તેની માતા છે. આ ફિલ્મ દ્વારા સલમાન ખાન પોતાની બહેન અર્પિતાના પતિ આયુષ શર્માને લોન્ચ કરી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. 'લવરાત્રિ' ફિલ્મની ટીમ પર સાંપ્રદાયિક સદભાવના બગાડવાનો આરોપ છે. સલમાન ખાન પ્રોડક્શન કંપનીની ફિલ્મ 'લવરાત્રિ'ના મામલામાં સલમાન સહિત 7 અન્ય લોકોને આરોપી બનાવાયા છે.
આ પહેલસા આગ્રામાં હિંદુવાદી સંગઠનોએ ફિલ્મોનો વિરોધ કરતા સલમાનનું પૂતળું સળગાવ્યું હતુ. સંઠગનના આગ્રાના પ્રમુખ ગોવિંદ પરાશરે સલમાન ખાનને મારનારને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી હતી. વીએચપીએ કહ્યુ કે ''ફિલ્મ 'લવરાત્રિ'થી હિંદુઓની ભાવનાને ઠેસ પહોંચી શકે છે તેથી ફિલ્મનું સ્ક્રીનિંગ નહી કરવામાં આવે.''