સૌ પહેલા આપને જણાવી દઇએ કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની કુલ ઇનામી રકમ એક કરોડ ડૉલર (69.41 કરોડ રૂપિયા) છે. ત્યારે જે ટીમ વિજેતા બનશે તેને 40 લાખ ડૉલર (એટલે કે 28 કરોડ રૂપિયા) આપવામાં આવશે. વર્તમાનમાં વર્લ્ડકપની ટ્રૉફીમાં સોના અને ચાંદીનું કામ કરવામાં આવે છે. જેનું વજન અંદાજે 11 કિલોનું હોય છે. ત્યારે આની ઉંચાઇ 60 સેન્ટીમીટરની હોય છે. ચાંદી અને સોનાથી તૈયાર થયેલ આ ટ્રૉફી એક સારા એવા ગ્લૉબની જેમ દેખાતી હોય છે.
આજે ICC વર્લ્ડ કપ 2019 (ICC Cricket World Cup 2019) ની ફાઇનલ લંડનનાં લોર્ડ્સ મેદાન પર ઇગ્લેન્ડ (England) અને ન્યુઝીલેન્ડ (New Zealand) ની વચ્ચે રમાયો હતો. જેમાં ઇંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપ 2019નો ખિતાબ જીત્યો છે. તો વર્લ્ડ કપ જીતનારને કેટલી રકમ આપવામાં આવશે. આ સાથે જ હારનારી ટીમ ન્યૂઝિલેન્ડને કેટલાં રૂપિયા મળશે તે પણ આવો જાણીએ...
સૌ પહેલા આપને જણાવી દઇએ કે આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની કુલ ઇનામી રકમ એક કરોડ ડૉલર (69.41 કરોડ રૂપિયા) છે. ત્યારે જે ટીમ વિજેતા બનશે તેને 40 લાખ ડૉલર (એટલે કે 28 કરોડ રૂપિયા) આપવામાં આવશે.
આ સાથે જ જે ટીમ ફાઇનલ મુકાબલો હારી જશે તેને 20 લાખ ડૉલર (13.8 કરોડ રૂપિયા) આપવામાં આવશે. ત્યારે લીગ ચરણમાં મેચ જીતનારી દરેક ટીમને 40-40 લાખ ડૉલર (28 લાખ રૂપિયા) અને નૉક આઉટમાં પહોંચનારી દરેક ટીમને 1-1 લાખ ડૉલર (70 લાખ રૂપિયા) આપવામાં આવશે. સેમીફાઇનલમાં હારનારી ટીમને એટલે કે ભારતને 8 લાખ ડૉલર (5.6 કરોડ રૂપિયા) મળશે.
વર્તમાનમાં વર્લ્ડકપની ટ્રૉફીમાં સોના અને ચાંદીનું કામ કરવામાં આવે છે. જેનું વજન અંદાજે 11 કિલોનું હોય છે. ત્યારે આની ઉંચાઇ 60 સેન્ટીમીટરની હોય છે. ચાંદી અને સોનાથી તૈયાર થયેલ આ ટ્રૉફી એક સારા એવા ગ્લૉબની જેમ દેખાતી હોય છે. ICC વર્લ્ડ કપની ટ્રૉફીનાં નિયમ અનુસાર જીતનારી ટીમને અસલી ટ્રૉફી નથી મળતી.
હકીકતમાં વિજેતા ટીમને તે ટ્રૉફીની જેવી જ બીજી ટ્રૉફી આપવામાં આવે છે. વર્લ્ડકપની ઓરિજીનલ ટ્રૉફી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) પોતાની પાસે સંભાળીને રાખે છે. અસલી ટ્રૉફીને આઇસીસીનાં મુખ્યાલય શરજાહમાં રાખવામાં આવે છે.