આ રોજગાર એક્સચેન્જમાં સીનિયર સિટીઝન પોતાનું રજીસ્ટ્રેશન કરી પોતાના માટે રોજગાર શોધી શકે છે.
વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર
સરકાર લાવવા જઈ રહી છે આ ફેરફાર
વરિષ્ઠ નાગરિકો માટે શાનદાર તક
વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર છે. હવે સીનિયર સિટીઝનને પણ પૈસાની દિક્કત નહીં થાય. સરકાર સીનિયર સિટીઝન માટે એક એવો રોજગાર એક્સચેન્જ ખોલવા જઈ રહી છે જેમાં વરિષ્ઠ નાગરિકોને તેમના હિસાબથી નવી નોકરી આપવામાં આવશે. 1 ઓક્ટોબર એટલે કે શુક્રવારથી આ એક્સચેન્જ શરૂ થશે.
વરિષ્ઠ નાગરિકો માટે શાનદાર તક
આ રોજગાર એક્સચેન્જમાં સીનિયર સિટીઝન પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને રોજગાર માટે તલાશ કરી શકે છે. તમને જણાવી દઈએ કે દેશમાં પહેલી વખત વરિષ્ઠ નાગરિકો માટે આ પ્રકારના રોજગાર એક્સચેન્જ ખોલવામાં આવી રહ્યું છે. તેના માટે એક ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. સરકારે સીનિયર સિટીઝનની મદદ માટે એક હેલ્પલાઈનની શરૂઆત કરી છે.
તરત કરાવીલો રજીસ્ટ્રેશન
ઘણા એવા લોકો છે જેમની ઉંમર 60 વર્ષથી ઉપર છે અને તે નોકરી કરવા માંગે છે. તમે પણ જો આ શ્રેણીમાં આવો છો તો 1 તારીખથી સામાજીક ન્યાય અને ઓફિશયલ મંત્રાલયની આગેવાનીમાં ખોલવામાં આવી રહ્યું છે. 'સીનિયર એબલ સિટીજન્સ ફોર રી-એમ્પ્લોયમેન્ટ ઈન ડિગનિટી' પોર્ટલ પર જઈને તરત પોતાનું રજીસ્ટ્રેશન કરી લો. તમને પોતાની ક્ષમતા અનુસાર, સરળતાથી નોકરી મળી જશે.
એક રિપોર્ટ અનુસાર અહીં એક ઈન્ટરેક્ટિવ પ્લેટફોર્મ હશે જેના પર સ્ટેકહોલ્ડર એક બીજાથી વર્ચુઅલી મળશે અને રોજગારને લઈને એક બીજા સાથે વાત કરશે. મંત્રાલયે CLL, Ficci અને Assocham જેવા ઈન્ડસ્ટ્રી ચેમ્બરને પણ વરિષ્ઠ નાગરિકોના રોજગાર હાસિલ કરવામાં મદદ માટે પત્ર લખીને આગ્રહ કર્યો છે.
પોર્ટલ પર મળશે દરેક જાણકારી
આ પોર્ટલ પર સીનિયર સિટીઝનને અરજીની સાથે પોતાના એજ્યુકેશન, અનુભવ, સ્કિલ, રૂચિઓ વગેરેની સંપૂર્ણ જાણકારી આપે છે. જોકે મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે કે આ એક્સચેન્જ રોજગારની ગેરેન્ટી નથી આપી રહ્યું. આ કંપનીઓ અને કર્મચારીઓ પર ડિપેન્ડ હશે કે તે કોઈ સીનિયરની યોગ્યતા, પોતાની જરૂરીયાતને જોતા તેને પોતાને ત્યાં નોકરી પર રાખે.
દેશમાં વરિષ્ઠ નાગરીકોની સંખ્યા ખૂબ વધી રહી છે. જે હવે સેવા નિવૃત્ત થઈ ચુક્યા છે. પરંતુ તેમાંથી વરિષ્ઠ નાગરિકોની સંખ્યા ખૂબ વધી રહી છે. જે હવે સેવા નિવૃત્ત થઈ ચુક્યા છે. પરંતુ તેમાંથી ઘણા લોકો પણ છે જે કામ કરવા માંગે છે. એવામાં આ પ્રકારના એક્સચેન્જ ખૂબ કારગર સાબિત થઈ શકે છે. એક અનુમાન અનુસાર વર્ષ 2001ના 7.6 કરોડ અનુસાર વર્ષ 2011માં સીનિયર સિટીઝનની સંખ્યા વધીને 10.4 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2050 સુધી દેશમાં વરિષ્ઠ નાગરિકોની જનસંખ્યામાં વધારો 20 ટકા થઈ શકે છે.