સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં ખુશખબરી આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા અંગે સરકાર વિચાર કરી રહી છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં દેશમાં લોકોના કામ કરવાની વય મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે.
સરકાર કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં આપશે ખુશખબર
કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધશે
વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલાયો
સીનિયર સિટીઝનની સુરક્ષા
પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું છે કે દેશમાં નિવૃત્તિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. સમિતિની રિપોર્ટ મુજબ, આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછા 2000 રૂપિયાનું પેન્શન આપવામાં આવવુ જોઈએ. મહત્વનું છે કે, આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. જેમાં પેન્શન ધારકોને સારી સુવિધા મળશે.
સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કામકાજની ઉંમરને વધારવી છે તો તેના માટે સેવાનિવૃત્તિની ઉંમરને વધારવાની તાતી જરૂરીયાત છે. સામાજિક સુરક્ષા પ્રણાલી પર દબાણને ઘટાડવા માટે આવુ કરવામાં આવે છે. રિપોર્ટમાં 50 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પણ સ્કીલ ડેવલપમેન્ટની વાત કહેવામાં આવી છે.
સરકાર બનાવે નીતિ
રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિ બનાવવી જોઈએ જેનાથી કૌશલ્ય વિકાસ કરી શકાય. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરદૂરના વિસ્તારોમાં રહેતા લોકો, રિફ્યુજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઈએ. જેની પાસે ટ્રેનિંગ પ્રાપ્ત કરવાનું સાધન નથી. પરંતુ તેનું ટ્રેન્ડ થવુ જરૂરી છે. એવામાં કોઈ પણ વિભાગમાં કુશળ લોકોની કમી થતી નથી.