બુધવારે સવારે 8: 45 કલાકે આસામના ગોલપરામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી માટેના નેશનલ સેન્ટરએ રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 આપી છે.
આસામના ગોલપરામાં ભૂકંપના આંચકા
રિક્ટર સ્કેલ પર 5.3 તીવ્રતા નોંધાઈ
સોમવારે દિલ્હીમાં અનુભવાયો હતો આંચકો
ઉલ્લેખનીય છે કે, સોમવારે રાત્રે દિલ્હી, ગુરૂગ્રામ સહિત એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવા આંચકા અનુભવાયા હતા. રાત્રે 10.40 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે તેઓએ ભૂકંપના આંચકા અનુભવાયા. બાદમાં સિસ્મોલોજીના નેશનલ સેન્ટરએ ભૂકંપની પુષ્ટિ કરી.
સોમવારે મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો
એનસીએસએ જણાવ્યું હતું કે હરિયાણાના ઝાંઝરમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઝજ્જરથી 10 કિ.મી દૂર જમીનની 5 કિ.મીની ઊંડાઈએ મળી આવ્યું હતું. સોમવારે જ મણીપુરના થોઉબાલમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સોમવારે ઘણા દેશોમાં ભૂકંપ આવ્યો હતો
સોમવારે જ મ્યાનમારમાં 3.5 ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા, ભૂતાનમાં 2.9 અને ચીનમાં 4.6. રવિવારે વહેલી સવારે ગુજરાતના કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર દુબઈથી ઉત્તર-ઉત્તર દિશા હતું. લદ્દાખમાં લેહમાં 6.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તાજિકિસ્તાનમાં 6.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકા દિલ્હી-એનસીઆર, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયા હતા.
ભૂકંપ કેમ આવે છે ?
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?