ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના મોટા સંકટની સામે લડી રહ્યું છે ત્યાં ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ આવેલું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગુજરાતમાં તબાહી મચાવી શકે છે ત્યારે લોકો અત્યારે વાવાઝોડાને લઈને ભયનો માહોલ છે ત્યાં ધરતીકંપના આંચકા આવતા લોકોમાં દહેશત છે.
ગુજરાતના અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લઆમાં રાત્રે ધરા ધ્રૂજી હતી. અમરેલી, ગીર સોમનાથની સાથે સાથે દીવ, ઉના, સુત્રાપાડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે ત્યારે રાત્રે મોટા 3 કલાક 35 મિનીટે આવેલા આ ભૂકંપની તીવ્રતા 4.8 હોવાનું સામે આવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજુલા નજીક દક્ષિણ-પૂર્વમાં ભૂગર્ભમાં 5.2 કિ.મી.નીચે હતું.
નોંધનીય છે કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી પરંતુ લોકોમાં એક પ્રકારના ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સિવાય હવે તૌકતે વાવાઝોડું પોરબંદર, મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે જેના કારણે આખા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.