નાની બચત પર વ્યાજ દર પર કાપના નિર્ણય પીએમઓના નિર્દેશ પર પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
નાણા મંત્રીએ ટ્વીટ કરી તમાને આની જાણકારી આપી હતી
પીએમઓએ નાણા મંત્રાલયને નિર્દેશ આપ્યા હતા
દેશના 80 ટકા લોકો આવી નાની બચત યોજનાઓમાં બચત કરે છે.
નાણા મંત્રીએ ટ્વીટ કરી તમાને આની જાણકારી આપી હતી
સૂત્રોના જણાવ્યાનુંસાર ગુરુવારે સવાર સવારમાં આના માટે પીએમઓએ નાણા મંત્રાલયને નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ બાદ સવારે 8 વાગ્યાની આસપાસ નાણા મંત્રીએ ટ્વીટ કરી તમાને આની જાણકારી આપી હતી.
રેટમાં કાપના નિર્ણયને પાછો લેવાનો આ સમય ખૂબ મહત્વનો છે કેમ કે આ બંગાળના બીજા ચરણના વોટિંગ શરુ થવાની થોડીક જ મિનિટો પહેલા થયો. નાણા મંત્રીએ ટ્વીટ કરી કહ્યું કે વ્યાજ દરોમાં કાપનું આ નોટિફિકેશન ભૂલથી જારી થયું છે. નાની બચત પર વ્યાજ દરોમાં કાપના આ નિર્ણયને ખુદ નાણા મંત્રીએ બુધવારે મંજૂરી આપી હતી.
દેશના 80 ટકા લોકો આવી નાની બચત યોજનાઓમાં બચત કરે છે.
એપ્રિલ અને જૂન ક્વાર્ટરમાં નાના બચત યોજનાઓ પર વ્યાજ દર પર કાપના નિર્ણય પર સરકારની ટીકા થવા લાગી હતી. દેશના 80 ટકા લોકો આવી નાની બચત યોજનાઓમાં બચત કરે છે.
ગંભીર બન્યો મામલો
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે વ્યાજ દરોમાં ફેરફારના નોટિફિકેશનને પરત લેવાના નિર્દેશ પીએમઓએ બિલ્કુલ સવાર સવારમાં આપ્યા. જેના એક કલાકની અંદર નિર્દેશ મુજબ નવા રેટને પાછા ખેંચી લેવામાં આવ્યા. આ ખરેખર એક ગંભીર મામલો બની ગયો છે.
ભૂલથી જારી થયેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે
સવારે 7.54 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી તમામ જાણકીરી આપી. ભારત સરકારની નાની બચત યોજનાઓ પર વ્યાજ દરો ત્યાં જ રહેશે. જે નાણા વર્ષ 2020-21ના છેલ્લા ક્વાર્ટરમાં હતી. ભૂલથી જારી થયેલો આદેશ પાછો ખેંચવામાં આવે છે.
આટલી સરળતાથી નથી આવી ગયો કાપનો નિર્ણય
નાણા મંત્રી ભલે કહે કે નોટિફિકેશન ભૂલથી જારી થઈ ગયું હતુ. પરંતુ સત્ય તો એ છે કે આ નિર્ણય ઘણો સમજી વિચારીને લાંબી પ્રક્રિયામાં હોય છે. આ માટે ઓછામાં ઓછા એક પખવાડીયા સુધી વરિષ્ઠ અધિકારીઓમાં વિચાર વિમર્શ થાય છે.
આ વિમર્શ પ્રક્રિયામાં નાણા મંત્રાલયના વિભિન્ન વિભાગ, પોસ્ટ વિભાગ, ભારતીય રિઝર્વ બેંકના અધિકારીઓને પણ સામેલ કરવામાં આવે છે. સૂચનો પર નાણા મંત્રીની અંતિમ મંજૂરી લીધા બાદ જ નોટિફિકેશન જારી કરવામાં આવે છે. સૂત્રોનું કહેવું છે કે આ વખતે આ પ્રકારની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન થયું હતુ.
આ થયું હતુ એલાન
નાની બચત યોજના પર વ્યાજદર 4%થી ઘટાડી 3.5% જ્યારે PF યોજનાના વ્યાજદરમાં ભારે ઘટાડો કરવાનો હતો. 1974 બાદ પ્રથમવાર PPF પર સૌથી ઓછો વ્યાજદર થયો છે. PPF યોજનાના વ્યાજદર 7%થી ઘટાડી 6.4% કરવાનો હતો. વન યર ટાઇમ ડિપોઝિટનો વ્યાજ દર 5.4%થી ઘટાડી 4.4% કરવાનો હતો. સીનિયર સેવિંગ સ્કીમ પર 7.4%ના બદલે 6.5% વ્યાજ દર કરવાનો હતો. કિસાન વિકાસ પત્ર પર 6.9%ના બદલે 6.2% વ્યાજ થવાનો હતો. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6%ના બદલે 6.9% વ્યાજ મળવાનું હતુ. જયારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8%ના બદલે 5.9% વ્યાજ મળત.