હાલ સંસદમાં ચાલી રહેલા મોન્સૂન સત્રમાં મોદી સરકાર ત્રણ વિવાદિત કૃષિ બિલ લાવી છે, આ બિલના મુદ્દે વિપક્ષોએ ઘણો વિરોધ કર્યો છે, જો કે મોદી સરકારને આ મુદ્દે ઘર આંગણે પણ શાંતિ મળી નથી. ગઈ કાલે જ આ મુદ્દે મોદી સરકારના મજબૂત સાથીદાર પૈકીના એક ગણાતા અકાલી દલ માંથી સાંસદ હરસિમરત કૌર બાદલ નું રાજીનામું પડ્યું હતું, આમ સાથીદારોએ મોદી સરકાર ઘેર્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદીને નિશાને લીધા હતાં.
ત્રણ નવા કૃષિ બિલ મુદ્દે સતત ઘેરાઈ રહી છે મોદી સરકાર
સરકારમાં રહેલા સાથી પક્ષોએ પણ આપી છે મોદી સરકારને ચેતવણી
પીએમ મોદીની કથની અને કરનીમાં ફેર છે : રાહુલ ગાંધીનો PM ને ટોણો
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ત્રણ નવા કૃષિ બિલ મુદ્દે મોદી સરકારને સંભળાવ્યું હતું. આ મુદ્દે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે પીએમ મોદીની કથની અને કરણીમાં અંતર છે અને તેઓ ખેડૂતોના રોજગારને છીનવીને તેમના મિત્રોના વેપારને વધારશે.
किसान का मोदी सरकार से विश्वास उठ चुका है क्यूँकि शुरू से मोदी जी की कथनी और करनी में फ़र्क़ रहा है- नोटबंदी, ग़लत GST और डीज़ल पर भारी टैक्स।
जागृत किसान जानता है- कृषि विधेयक से मोदी सरकार बढ़ाएगी अपने ‘मित्रों’ का व्यापार और करेगी किसान की रोज़ी-रोटी पर वार।
આ મુદ્દે તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે ખેડૂતોનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠી ચૂક્યો છે, તેનું કારણ છે નોટબંધી, ખોટું GST અને ડીઝલ પર ભરી ટેક્સ તેના માટે મુખ્ય જવાબદાર કારણો છે.
આ મુદ્દે તેમણે જણાવ્યું હતું પીએમ મોદી દેશના ખેડૂતોના રોજગાર પર પ્રહાર કરીને તેમના મિત્રોના વેપારને વધારવા માંગે છે અને આ વાતને જાગરુક ખેડૂત ખુબ સારી રીતે જાણે છે અને સમજે છે.
હાલમાં ઉગ્ર છે કૃષિ બિલનો વિરોધ
હાલમાં લોકસભામાંથી પસાર થઈ ગયેલા કૃષિ બિલને વિપક્ષો સતત વખોડી રહ્યાં છે, પહેલા આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસ અને તે બાદ મોદી સરકારના સાથીદાર એવા શિરોમણી અકાલી દળે પણ સરકારના આ પગલાને અયોગ્ય માન્યું છે, અને આ વિરોધને દર્શાવવા માટે તેમના કોટામાંથી સાંસદ હરસિમરત કૌર બાદલ નું કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું અપાવી દીધું છે.