નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનને પગલે સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે આજે ગ્રીન એમ્બેસેડર દ્વારા ઋષિવન ખાતે હીરાબાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે. ઋષિવન ખાતે 100 વૃક્ષો વાવી હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.
હીરાબાના નિધનથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ છવાઈ દુઃખની લાગણી
ગ્રીન એમ્બેસેડરે 100 વૃક્ષો વાવીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
હીરાબાના નિધનને લઈ ત્રણ દિવસ બંધ રહેશે વડનગર
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયાં છે. હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનમાં હીરાબાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, હીરાબા મોદીનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને કફની ફરિયાદ પણ હતી. દેશભરમાંથી રાજનેતાઓથી માંડીને અભિનેતાઓ અને સામાન્ય લોકો પણ હીરાબાને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી રહ્યા છે. હીરાબાના આત્માની શાંતિ માટે ઠેર-ઠેર શોકસભા અને પ્રાર્થનાસભા યોજાઈ રહી છે.
ગ્રીન એમ્બેસેડરે 100 વૃક્ષો વાવી હીરાબાને પાઠવી શ્રદ્ધાંજલિ
ત્યારે ગ્રીન એમ્બેસેડરે ઋષિવન ખાતે હીરાબાને અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ઋષિવન ખાતે 100 વૃક્ષો વાવીને હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ઋષિવન ખાતે હીરાબાના આત્માની શાંતિ કાજે વૃક્ષને વૃક્ષનારાયણ દેવ માનીને શ્લોકોચ્ચાર દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. હીરાબાના નિધનથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ દુઃખની લાગણી છવાઈ છે. ગુજરાત ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રીગેડના સ્થાપક જીતુભાઈ દ્વારા વિશેષરૂપે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ વેળાએ જીતુભાઇ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા.
હીરાબાના નિધનને લઈને સમગ્ર રાજ્ય શોકમગ્ન
હીરાબાના નિધનને લઇને સમગ્ર રાજ્ય શોકમગ્ન છે. ત્યારે વડનગરના વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળીને તેમને શ્રદ્ધાંજલિ આપશે. લોકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે તેઓ વડનગરમાં નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા. વડનગરના વેપારીઓ ત્રણ દિવસ બંધ પાળી તેમને શદ્ધાંજલિ આપશે. મહેસાણા જિલ્લાના વડનગરના વેપારીઓ દ્વારા હીરાબાના નિધનને લઈ શ્રદ્ધાંજલિ આપવા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
ત્રણ દિવસ બંધ રહેશે વડનગરની બજારો
વડનગર હાલ હીરાબાના નિધનને પગલે શોકમગ્ન છે. આ તરફ વડનગરના સ્થાનિકોએ હીરાબાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે. જેને લઈ હવે વડનગરના વેપારીઓ 2 દિવસ બંધ પાળી શ્રધાંજલિ આપશે.