હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે ભારે વરસાદને કારણે બિહારના 14 જિલ્લામાં એલર્ટ આપ્યું છે. જે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં સુપૌલ, અરરિયા, કિસનગંજ, બાંકા, સમસ્તીપુર, મઘેપુરા, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેરનો સમાવેશ થયો છે.
બિહારના 14 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
વરસાદથી જનજીવન થયું પ્રભાવિત
ટ્રેન સેવાઓ થઈ રદ
દેશના અનેક ભાગોમાં વરસાદ અને પૂરનો પ્રકોપ અવિરત પણે ચાલુ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થયો પરંતુ અનેક જગ્યાઓએ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. યૂપી અને બિહારમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. બિહારમાં ભારે વરસાદના પગલે પટના સહિત અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. સડક હોય કે ઘર બધે પાણી ભરાઈ ચૂક્યું છે.
આ જિલ્લાઓમાં હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, જાણો ક્યાં કયું એલર્ટ અપાયું
હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે ભારે વરસાદને કારણે બિહારના 14 જિલ્લામાં એલર્ટ આપ્યું છે. જે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં સુપૌલ, અરરિયા, કિસનગંજ, બાંકા, સમસ્તીપુર, મઘેપુરા, સહરસા, પૂર્ણિયા, દરભંગા, ભાગલપુર, ખગડિયા, કટિહાર, વૈશાલી અને મુંગેરનો સમાવેશ થયો છે. તો 9 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અને પટના સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના આધારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 કિલોમીટરનો વરસાદ નોંધાયો છે. આવનારા 48 કલાકમાં બિહારમાં વરસાદની સ્થિતિ કાયમ રહેવાનું અનુમાન છે. આ સ્થિતિ 3 ઓક્ટોબરે સામાન્ય થઈ શકે છે.
હોસ્પિટલોમાં ઘૂસ્યા પાણી, સ્કૂલ કોલેજો રહેશે બંધ
પટનાના નાલંદા મેડિકલ કોલેજમાં શનિવારે પાણી ઘૂસી ગયું જેને લઈને દર્દીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક શાળા, કોલેજો અને કોચિંગ સેન્ટરો બંધ કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે શાળા અને કોલેજો સોમવાર સુધી બંધ રહેશે.
નદીઓ છલકાઈ, ટ્રેન થઈ પ્રભાવિત
બિહારમાં સતત થઈ રહેલા વરસાદને કારણે ગંગા નદી છલકાઈ છે અને સાથે જ અનેક ટ્રેનની ગતિ પણ ધીમી થઈ છે. સમસ્તીપુર - દરભંગા માર્ગની કિશનપુર-રામભદ્રપુરની વચ્ચે જમીન ધસી જવાના કારણે ટ્રેન બંધ કરી દેવામાં આવી છે. બિહાર સરકારના જલસંસાધન વિભાગના અધિકારીએ જણાવ્યું કે ગંગા, કમલા બલાન, બાગમતિ નદીઓ અનેક સ્થાનોએ ખતરાના નિશાનને વટાવી ચૂકી છે.
મુખ્યમંત્રીએ બોલાવી આપાતકાલીન બેઠક
બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે શનિવારે આપાત કાલીન બેઠક બનાવી છે. અધિકારીઓની સાથે બેઠક કરી અને સાથે જિલ્લા અધિકારીઓની સાથે વીડિયો કોન્ફરન્સ કરીને વરસાદની સ્થિતિને જાણી. જિલ્લા અધિકારીઓએ પોતાના જિલ્લાથી જોડાયેલી નદીઓના જળસ્તરની સ્થિતિ અને વર્તમાન સ્થિતિની જાણકારી આપી. આ સમયે મુખ્યમંત્રીએ લોકોને રાહત આપવા માટે અધિકારીઓને અનેક નિર્દેશ આપ્યા છે.
યૂપીમાં વરસાદથી 79 લોકોના મૃત્યુ
છેલ્લા 2 દિવસમાં યૂપીમાં ભારે વરસાદના કારણે 79 લોકોના મૃત્યુ થયા છે. સરકારી આંકડાના આધારે ગોરખપુર, ફિરોઝાબાદ, ઉન્નાવ, બાંદા, બલિયા અને સીતાપુરમાં 2-2 લોકોના મોત થયા છે. બુલંદશહેર, અમેઠી, સહારનપુર, લખીમપુર, ફતેહપુર, પ્રયાગરાજ, ચિત્રકૂટ, સુલ્તાનપુર અને દેવરિયામાં 1-1 લોકોના મોત થયા છે. શુક્રવારે રાજ્યાના અનેક ભાગમાં વરસાદના કારણે 44 લોકોના મોત થયા હતા. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના જિલ્લા અધિકારીને પૂર અને ભારે વરસાદના કારણે લોકોને રાહત આપવાના નિર્દેશ આપ્યા છે. સાથે જ પ્રભાવિત લોકો કે જેઓ પોતાના ઘર પણ ખોવી ચૂક્યા છે તેમને 4 લાખ રૂપિયાની રાહત આપવાનું નક્કી કર્યું છે.