હિન્દુ સંસ્કૃતિના આયુર્વેદ શાસ્ત્રોમાં જે ઉપચારો આપ્યા છે તે વિજ્ઞાન પર સિદ્ધ કરી રહ્યું છે જેમ જેમ નવા સંશોધન થતા જાય છે તેમ તેમ આપણા ધર્મગ્રંથોમાં કરેલી વાતો ને સમર્થન મળતું જાય છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે સરગવાની શીંગ સંશોધન કરવામાં આવ્યું જેમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે સરગવાની સિંગ માં કેન્સર બ્રેસ્ટ કેન્સર ટાઈફોડ ડાયાબિટીસ થાઇરોડ જેવી ગંભીર બીમારીઓને દૂર કરવાના તત્વો મળી આવ્યા છે.
ગૌમૂત્ર માંથી સોનુ મળી આવ્યું
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢનું નજરાણું એટલે કૃષિ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગોમાં વિવિધ પ્રકારના સંશોધનો કરવામાં આવે છે ગૌમૂત્ર માંથી સોનુ મળી આવ્યું કે બીલીપત્ર માંથી વિવિધ પ્રકારના રોગોને નાશ કરતા ગુણધર્મો વળી આવા જેવી શોધ કરવામાં આવી છે.
સરગવા પર હાથ ધરાયું સંશોધન
ત્યારે હાલ યુનિવર્સિટીમાં સરગવો અને તેની સીન ઉપર સંશોધન ચાલુ છે ત્યારે સરગવાની સિંગ માં રહેલા ગુણધર્મો અંગે ચકાસણી કરતા આ તત્વો કેન્સર ટાઈફોડ ડાયાબિટીસ અને થાઇરોડ જેવી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.
કૃષિ યુનિવર્સિટી ખાતે લેબોરેટરીમાં સરગવાની સિંગ માટે છેલ્લા ત્રણ વર્ષથી સંશોધન કામ શરૂ હતું જેમાં સરગવા નું ઝાડ સરગવાના પાંદડા સરગવાની સિંગ સરગવાની છાલ તેમજ સિંગમાં રહેલ બી ઉપર પૃથ્થકરણ કરવામાં આવ્યું.
જેમાંથી સીમ માં રહેલ બી અને તેના કવર માંથી ચોંકાવનારા તત્વો મળી આવ્યા હતા આ તત્વોની ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં કેન્સર ડાયાબિટીસ અને થાઈરોડ સહિતની બીમારીઓમાં મદદરૂપ થઈ શકે તેવા ગુણધર્મો જોવા મળ્યા.
સંશોધનમાં અલગ-અલગ મુદ્દાઓ ને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા જેમાં જેમાં અલગ-અલગ બીમારીઓ અને ખાસ કરીને ગંદા પાણીનું શુદ્ધ થાય છે કે કેમ તે અંગે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં આરો પ્લાન્ટ ની એક કેન્દ્ર બનાવી આ કેનાલમાં સરગવાના પાવડર રાખવામાં આવ્યો અને જેમાંથી ગળાઈને આવતું પાણી શું હતું અને જે પાણી પી પણ શકાય તે તેવા તત્ત્વો ધરાવતું પાણી હતું આમા પાણીથી લોકોને સારો લાભ થાય તે જોયું હતું.
સરગવાની શીંગ અને તેના બીમાંથી એક ખાસ પ્રકારનો પાવડર તૈયાર કરવામાં આવ્યો જે આર.ઓ પ્લાન્ટ માં બેસાડવામાં આવ્યો હતો અને અશુદ્ધ પાણીને શુદ્ધ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયું હતું સાથે સાથે કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટે છે તેવું પણ પુરવાર થયું હતું ઉપરાંત મહિલાઓમાં જોવા મળતી બ્રેસ્ટ કેન્સરની બીમારી ના જીવાણુ નો વૃદ્ધિ દર માં ઘટાડો કરે છે
સરગવાનો પાઉડર અલગ-અલગ બિમારીઓ માટે ઉપયોગી
સરગવાની શીંગ માંથી તૈયાર કરવામાં આવેલ પાવડર અલગ-અલગ બીમારીઓ માટે તો ઉપયોગી છે જ પરંતુ આ પાઉડરમાં સતી જોવા મળી હતી કડવાસ હોવાથી લોકો તેને ઓછો પસંદ કરે આ માટે પણ સંશોધન કર્તાઓએ પાવડર માંથી કડવાશને દૂર કરી હતી અને એફ એસ એલ નુ લાયસન્સ મેળવી લેવામાં આવ્યું છે અને હવે આ પાવડર માંથી કૂકીઝ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આમ વર્ષોથી શાસ્ત્રોમાં લખેલ સરગવાના ગુણધર્મ અને તેનાથી થતા ફાયદા ને હવે વિજ્ઞાન એ પણ સ્વીકાર્યું છે ત્યારે આજના યુગમાં ગંભીર બીમારીઓ સામે લડવા માટે સરગવો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.