મનુષ્યનું શરીર મુખ્યત્વે પ્રોટીનનું બનેલુ હોય છે કે જે ધીમે-ધીમે ઉંમર વધવાની સાથે-સાથે ખતમ થતું જાય છે. તેથી વૃદ્ધોમાં હેલ્થ સંબંધી મુશ્કેલીઓ નવયુવાનોની સરખામણીમાં વધુ હોય છે. આપણા શરીરનાં હાડકાંઓમાં જે કૅલ્શિયમ હોય છે તે ઉંમર વધવાની સાથે-સાથે નષ્ટ થતુ જાય છે અને હાડકાં ધીમે-ધીમે ઘસાવા અને નબળા થવા લાગે છે.
આપણું શરીર માંસપેશીઓ હાડકાઓ અને નર્વ્સ એટલે કે તંત્રિકાઓથી મળીને બન્યુ છે અને આ તમામ મળીને કામ કરે છે કે જેથી આપણી લાઇફ સારી રીતે ચાલે છે. આજ રીતે આપણી માંસપેશીઓ પણ એક ઉંમર બાદ ખરાબ થવા લાગે છે કે જેથી સાંધામાં દુઃખાવો થવા લાગે છે.
આ પીઢ લોકોમાં વધુ હોય છે અને તેને આર્થરાઇટિસ કહે છે. આર્થરાઇટિસમાં હરવા-ફરવામાં બહુ વધારે મુશ્કેલી થાય છે. તેમાં જૉઇંટ્સ કે સાંધા અને મસલ્સમાં જકડણ આવી જાય છે અને ત્યાં સોજો થઈ જાય છે કે જેથી ત્યાં દુઃખાવો પણ થવા લાગે છે.
આ જકડણનાં કારણે આ સાંધાઓનું હાલન-ચાલન ઓછું થઈ જાય છે. આર્થરાઇટિસ મુખ્યત્વે ઉતકો અને માંસપેશીઓના ધીમે-ધીમે ખરાબ થવાથી થાય છે.
આમ તો આર્થરાઇટિસની ઢગલાબંધ દવાઓ બજારમાં ઉપલબ્ધ છે પરંતુ તેનું ઘરગથ્થુ ઉપચાર પણ કરી શકાય છે. હા આર્થરાઇટિસનાં દુઃખાવાથી છુટકારો પામવા માટચે કાકડી અને હળદરનો જ્યુસ બહુ જ કારગત માનવામાં આવ્યો છે. કાકડી એક સારૂ એંટી-ઇનફ્લેમેટરી એજંટ હોય છે કે જે દુઃખાવો ઓછો કરવાની સાથે-સાથે કાર્ટિલેજની મરામત પણ કરે છે કે જેથી આર્થરાઇટિસની સમસ્યા ઊભી નથી થતી.
કાકડીનાં એંટી-ઑક્સીડંટ ગુણો સાંધાનાં ફ્રી રેડિકલ્સને નષ્ટ થતા બચાવે છે. આ જ પ્રકારે હળદર પણ આર્થરાઇટિસથી થતા દુઃખાવામાં આરામ આપે છે કારણ કે તેમાં કુર્કમિન હોય છે કે જે સાંધાની જકડણ ખતમ કરે છે.