સમયસર ધ્યાન આપવામાં ન આવે તો પગના દુખાવાની સમસ્યા વધી શકે
આ રીતે સરસવના તેલની માલિશ
આજકાલ ભાગ દોડ ભર્યા જીવનમાં રાત્રે સૂતા પહેલા ઘણી વખત ઘણા લોકોને પગમાં તીવ્ર દુખાવો થતો હશે. પગનો દુખાવો હવે દરેક લોકો માટે સામાન્ય સમસ્યા બની ગઈ છે. આ પગના દુખાવાને કારણે ઘણી વખત દિવસભર થાક લાગે છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો આ સમસ્યા વધી શકે છે. ચાલો જાણીએ કયા ઘરેલુ ઉપાય અપનાવીને તમે પગના દુખાવાથી છુટકારો મેળવી શકો છો.
સરસવના તેલની માલિશ
સરસવના તેલનું પગના દુખાવાને ઓછું કરવામાં ઘણી મદદ કરે છે. તમે રાત્રે સૂતા સમયે સરસવનું તેલ ગરમ કરીને તેની પગમાં સારી રીતે માલિશ કરી લો. સરસવના તેલની માલિશથી પગના દુખવાની સમસ્યામાં રાહત મળશે.
એપલ સાઇડર વિનેગર અને મધ
એપલ સાઇડર વિનેગર પગના દુખવાની સમસ્યામાંથી રાહત અપાવવા ખૂબ જ અસરકારક છે. તેનું સેવન પગમાં સોજો અને દુખાવો ઘટાડવામાં મદદ કરે છે. એપલ સાઇડર વિનેગરને એક કપમાં બે ચમચી લો અને તેમાં અડધી ચમચી મધ મિક્સ કરીને ખાલી પેટ પી શકો છો. આમ કરવાથી તમને દુખાવામાં રાહત મળશે.
મેથી
મેથીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે એટલા માટે જ તે પેઈનકિલર તરીકે કામ કરે છે. માત્ર એક ચમચી મેથીને આખી રાત પલાળીને રાખો. સવારે ઉઠીને તેને કાઢીને ખાલી પેટે તે પીઓ. આ સિવાય દિવસમાં એક-બે વખત એક ચમચી મેથીના દાણા પણ ચાવી શકો છો. આમ કરવાથી પગના દુખાવાથી પણ છુટકારો મળશે.
દરરોજ યોગા કરો
દરરોજ યોગ કરવાથી પગના દુખાવામાં ઘણી રાહત મળી શકે છે. યોગ કરવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને શરીર લચીલું બને છે. તેથી જો તમને તમારા પગમાં અથવા તમારા શરીરમાં ક્યાંય પણ દુખાવો થતો હોય તો યોગને તમારી દિનચર્યાનો ભાગ બનાવો.