દર માસમાં આવતી એકાદશીનું પોતાનું મહત્વ છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ યોગિની એકાદશી વ્રત કરવામાં આવે છે.
યોગીની એકાદશી પર કરો દાન
ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન
જાણો રાશિ પ્રમાણે શું કરશો દાન
એકાદશી વ્રત દરેક મહિનાની બંને પક્ષોની એકાદશી તિથિએ કરવામાં આવે છે. એકાદશી ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે નિયમ પ્રમાણે શ્રી હરિની પૂજા કરવાથી અને વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. દર માસમાં આવતી એકાદશીનું પોતાનું મહત્વ છે. અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ યોગિની એકાદશી વ્રત કરવામાં આવશે.
હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું મળે છે ફળ
માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું ફળ મળે છે. સાથે જ આ દિવસે દાનનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો જાણીએ કે રાશિ પ્રમાણે આ દિવસે કઈ વસ્તુઓનું દાન વિશેષ ફળ આપે છે.
મેષ
યોગિની એકાદશીના દિવસે તાંબાના વાસણ, ઘઉં અને ગોળનું દાન કરો.
વૃષભ
આ રાશિના લોકો ચોખા, ખાંડ, અનાજ અને કપડાનું દાન કરી શકે છે.