સામાન્ય રીતે વ્યક્તિના શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. એસી સામે બેસી રહેવાથી શરીરના તાપમાનમાં વધારે પડતો ફર્ક પડતો નથી. સતત બેસવાથી શરીરનું તાપમાન 10-12 ફેરેનહીટ સામાન્ય કરતા ઉપર નીચે થઇ જાય તો ચિંતાનો વિષય નથી, પરંતુ 15 ડિગ્રીનો ફેર આવે તો હેલ્થ પર એસીની હવા હાવી થઇ શકે છે. જો આમ થાય તો ત્વચા અને શ્વાસ સંબંધિત સમસ્યાઓની આશંકા રહે છે.
સામાન્ય રીતે એસીની સામે બેઠા પછી જ્યારે આપણે તડકામાં જઇએ છીએ ત્યારે શરીર તે તાપમાનમાં ઢળી જાય છે, પરંતુ કેટલીક મહત્ત્વની પરિસ્થિતિઓમાં આમ થતા પરેશાનીઓ વધી જાય છે. તેથી જ્યારે એસીની હવા પછી તડકામાં જાવ ત્યારે હાથમાં કોટન મોજા પહેરો અને શક્ય હોય તેટલું લિકવિડ ડાયેટ લો.
સનગ્લાસ પહેરો
લાંબા સમય સુધી એસીની સામે બેસી રહ્યા હોઇએ ત્યારે શરીરનું તાપમાન ઘટવાથી સીધો પ્રભાવ ત્વચા પર પડે છે. ત્વચાના પડમાં રહેલી રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે. જેના કારણે રક્તસંચાર યોગ્ય રીતે થઇ શકતો નથી. આજ કારણે એસીની હવામાંથી નીકળીને તડકામાં આવતા સનબર્ન ઉપરાંત સ્કીન રેસીઝની સમસ્યા થાય છે. સ્કીન એલર્જી વાળા તો એસીમાંથી નીકળીને સીધા તડકામાં ક્યારેય ન જાય.
ફેફસા પર અસર થાય છે
એસીની ઠંડી હવા નાક દ્વારા શ્વાસનળીમાં થઇને ફેફસામાં જાય છે તો આ અંગને સામાન્ય કરતા વધુ કામ કરવું પડે છે. એસી સામે બેસીને સીધા તડકામાં જવાથી નાક ડ્રાય થઇ જાય છે. તાવ પણ આવી શકે છે. અસ્થમાની સમસ્યા ધરાવતા લોકો સતર્ક રહે.
રક્તસંચાર ધીમો થાય છે.
એસીની ઠંડી હવા પછી તડકામાં જતા શરીરમાં પાણીના સ્તરમાં ગરબડ થાય છે. આવા સંજોગોમાં લોહી જાડું થઇ જતા રક્તસંચાર ધીમો થાય છે. જે હાઇ બ્લડ પ્રેશર, ડાયાબીટીશ અને હાર્ટના દર્દીઓ માટે ખતરનાક હોઇ શકે છે.
આંખોની કીકી ડેમેજ થાય છે
ઠંડી હવામાં બેઠા બાદ તડકાના સંપર્કમાં આવવાથી અલ્ટ્રાવાયોલેટ કિરણો કોર્નિયામાંથી થઇને લેંન્સને પણ ડેમેજ કરે છે.