શ્રાવણ મહિનામાં ભગવાન શંકરને ખુશ કરવા ભક્તો વિવિધ રીતે ભગવાન ભોળીયાની પૂજા કરતા હોય છે. શિવલિંગ પર વિવિધ પ્રકારની વસ્તુઓ ચડાવતા હોય છે.
પણ શુ તમને ખબર છે કે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને ચડાવવાથી ભગવાન શિવ ખુશ થવાના બદલે નારાજ થાય છે. આજે અમે તમને જણાવશું કે ભગવાન ભોળીયાને કઇ વસ્તુ ન ચડાવવી જોઇયે.
હળદર:
હળદરનો સંબંધ ભગવાન વિષ્નુ અને સૌભાગ્યથી છે. એટલે હળદર ભગવાન શિવને ન ચડાવવી જોઇયે.
તુલસીના પાન:
જલંધર નામના અસુરની પત્ની વ્રુદાના અંશથી તલસીનો જન્મ થયો હતો જેને ભગવાન વિષ્ણુએ પત્નીના સ્વરૂપમાં સ્વીકાર્યા હતા. જેથી તુલસીથી પણ ભગવાન શિવજીની પૂજા ન કરવી જોઇયે.
તલ:
તલ ભગવાન વિષ્નુના મેલથી ઉત્પન્ન થયા હતા જેથી તલ પણ ભગવાન શિવને અર્પણ કરવા ન જોઇયે.
કણકી ચોખા:
ભગવાન શિવને કણકી ચોખા પણ ન ચડાવવા જોઇયે કણકી ચોખાથી ભગવાન શિવ નારાજ થાય છે.
કંકુ:
કંકુ સૌભાગ્યનુ પ્રતિક છે જેથી તેને ભગવાન શિવને ચડાવવાથી શિવજી નારાજ થાય છે.
ઉપર જણાવેલ પાંચ વસ્તુ ભગવાન શિવને ચડાવવાથી ભગવાન શિવ ખૂબ જ નારાજ થાય છે. જેથી શ્રાવણ મહિનામાં ભક્તોએ આ બાબત પર ખાસ ધ્યાન રાખવુ જોઇયે.