નવરાત્રીમાં દેવી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. નકારાત્મક ઉર્જા દુર થાય છે પરંતુ જો આ ભૂલો કરશો તો સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
નવરાત્રી દરમિયાન ક્યારેય ન કરશો આ ભૂલો
ભૂલો કરવાથી દરિદ્રતા આવે છે પાસે
પૂજાના નિયમોનું અનોખુ મહત્વ છે
પૂજાનું મહત્વ
નવરાત્રીમાં પૂજાનું અનોખું મહત્વ છે અને હવનના ધૂમાડાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનારા સુક્ષ્મ જીવોનો અંત થાય છે અને તે જ રીતા નવરાત્રીમાં અખંડ જ્યોતનું પણ મહત્વ છે. તેનાથી ઘરનું વાતાવરણ ભક્તિમય, શાંત અને શુદ્ધ રહે છે. શાસ્ત્રોમાં દેવી માના પૂજનના પણ કેટલાક નિયમો છે.
પૂજાના આ નિયમો પાળો
કોણ પણ પૂજા દરમિયાન ચોખા ચઢાવવાનું વિશેષ મહત્વ હોય છે. તે દરમિયાન ચોખા ખંડિત ન થવા જોઇએ. ચોખા ચઢાવતા પહેલા તેને હળદરથી પીળા કરવા જોઇએ, તેને ખુબ શુભ માનવામાં આવ્યું છે.
પૂજા દરમિયાન ક્યારેય પણ વચ્ચે દીવો બંધ ન થઇ જવો જોઇએ. આવું થવાથી પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું.
માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે લાલ રંગ, ભગવાન શિવને પ્રસન્ન કરવા સફેદ વસ્ત્ર અર્પિત કરવા જોઇએ.
પૂજા દરમિયાન જે આસન પર બેસો છો તેને પગથી આમ તેમ ખસેડવું જોઇએ નહી. પોતાના હાથ વડે જ તેને ખસેડવું જોઇએ.
કોઇ પણ પ્રકારના પૂજનમાં કુળદેવતા, કુળદેવી અને ઘરના વાસ્તુ દેવતા વગેરેનું ધ્યાન ધરવું જોઇએ.
રોજ ઘીનો દિવો કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે.
સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુ આ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા અનિવાર્ય રૂપથી થવી જ જોઇએ. રોજ પંચદેવનું ધ્યાન ધરવું જરૂરી છે.
ખંડિત દિવામાં ક્યારેય દિવો ન પ્રગટાવવો જોઇએ, ધાર્મિક કાર્યોમાં ખંડિત વસ્તુઓને શુભ માનવામાં નથી આવતી.
ચામડાનો બેલ્ટ, પર્સ કે અન્ય વસ્તુ પાસે રાખીને પૂજા ન કરવી જોઇએ.