ટીવી સિરિયલોમાં કામ કરતી અભિનેત્રી કનિષ્કા સોનીના લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ત્યારે વિડીયો પોસ્ટ કરતા જણાવ્યું કે શારીરિક સંબંધો માટે પુરુષની કોઈ જરૂર નથી.
અભિનેત્રી કનિષ્કા સોનીના સોલોગેમી મેરેજ
ઇન્સ્ટાગ્રામ પર આ અંગે એક વિડીયો પોસ્ટ કર્યો
વિડીયોમાં લોકોએ ઘણો વિરોધ ઉઠાવ્યો હતો
ટીવી સિરિયલોમાં કામ કરતી અભિનેત્રી કનિષ્કા સોનીના લગ્નના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. કનિષ્કાના લગ્ન કોઈ સામાન્ય લગ્ન નથી. તેણે પોતાના સાથે લગ્ન કર્યા. તેણે પોતે સિંદૂર પૂર્યો હતો. એટલે કે તેઓએ સોલોગેમી મેરેજ કર્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ કર્યું
કનિષ્કાએ 16 ઓગસ્ટના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ કર્યું હતું . તેમાં તેણે કહ્યું હતું કે, “મેં મારી જાત સાથે લગ્ન કર્યા છે કારણ કે મેં મારા બધા સપના પૂરા કર્યા છે અને હું એકમાત્ર એવી વ્યક્તિ છું જેને હું પ્રેમ કરું છું. મારે ક્યારેય પુરુષ જોઈતો નથી- આ બધા પ્રશ્નોના જવાબ છે જે મને પૂછવામાં આવે છે. હું એકલી અને મારા ગિટાર સાથે ખુશ છું. ઘણા લોકો મને કહે છે કે શું તમે સાયન્સ નથી ભણ્યું, તેઓ મને પૂછે છે કે હું કોની સાથે સેક્સ કરીશ. હું તમને જણાવી દઉં કે સાયન્સ અને ટેકનોલોજી એ ઘણો વિકાસ કર્યો છે હવે મહિલાને સેક્સ માટે કોઈ પુરુષની જરૂર નથી.
નેગેટીવ કમેન્ટ્સ મળ્યા
આ પોસ્ટ પછી કનિષ્કાને ઈન્સ્ટાગ્રામ પર ઘણી નકારાત્મક ટિપ્પણીઓ મળી. લોકોએ તેમના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા. જે બાદ તેણે ઈન્સ્ટાગ્રામ પર 6 મિનિટનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેણે તે લોકોનો ખુલાસો કર્યો જે તેના લગ્ન પર સવાલ ઉઠાવી રહ્યા હતા. તેણે કહ્યું, “ હું ગુજરાતના એક રૂઢિચુસ્ત પરિવારથી છું. લગ્ન કરવાનું મારું પણ સપનું હતું. પણ આજ સુધી મને મારા જીવનમાં એવો કોઈ માણસ મળ્યો નથી જે તેની વાતમાં ખરો ઉતાર્યો હોય. હંમેશા જોયું કે માણસ જે કહે છે તેને નિભાવતો નથી. તેથી જ હું માનું છું કે હું ટેક્નોલોજીની મદદથી માણસ વિના મારું આખું જીવન જીવી શકું છું. જો હું મારી જાતે કમાઈશ તો મારે કોઈ પુરુષની જરૂર નથી. હું સ્વતંત્ર છું, હું મારી જરૂરિયાતો અને સપનાઓનું પૂરેપૂરું ધ્યાન રાખી શકું છું, મારે પુરુષની જરૂર શું કામ પડશે.
90 ટકા છોકરીઓના છુટાછેડા લઇ લે છે
કનિષ્કા સોનીએ વીડિયોમાં એમ પણ કહ્યું કે તે દુબઈમાં હતી અને ઘણા લોકોને મળી હતી. આ દરમિયાન તેને ખબર પડી કે 90 ટકા છોકરીઓ લગ્નના 10 મહિના પછી છૂટાછેડા લઈ લે છે. કોઈને પતિ હેરાન કરતો હતો. આ બધું તો 15-16 વર્ષ સાથે રહ્યા પછી થાય છે.
બધા લોકો સરખા નથી
ઘણા લોકો કહે છે કે દરેક જણ આવું નથી હોતું પરંતુ કનિષ્કાના કહેવા પ્રમાણે, તે જ્યાં પણ ગઈ છે, તે દરેકને મળી છે તે ફોટામાં જ ખુશ દેખાય છે. એટલા માટે તેને આવા પરિવાર જોઈતા નથી. તે કહે છે, “મને સિંદૂર-મંગલસૂત્ર ગેટઅપ ગમે છે પણ હું તેના માટે પુરુષની રાહ જોઈ શકતી નથી. હું હવે માનતી નથી કે એવો કોઈ માણસ હોઈ શકે જે તેની વાત પર અડગ રહે."