આજે આખા દેશમાં દિવાળીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દિવાળીનો પર્વ પાંચ દિવસ સુધી ચાલે છે. કારતક માસના કૃષ્ણ પક્ષની અમાસે દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે.
દિવાળીએ રાશિ મુજબ કરો મહાલક્ષ્મીની પૂજા
માં લક્ષ્મી થશે પ્રસન્ન
ઘરમાં સુખ-સમૃદ્ધી, ધન-વૈભવની કોઈ કમી રહેશે નહીં
દિવાળીના દિવસે રોશની કરવી અને રાત્રે લક્ષ્મી પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. શાસ્ત્રો મુજબ દિવાળીના દિવસે જો વ્યક્તિ પોતાની રાશિ મુજબ માં લક્ષ્મીની પૂજા કરે છે તો તેના ઘરમાં સુખ-સમૃદ્ધી, ધન-વૈભવ અને સુખ-સંપત્તિની કોઈ કમી રહેતી નથી.
મેષ- ગ્રહોના સેનાપતિ મંગળ મેષ રાશિના સ્વામી હોય છે. એવામાં જો આ રાશિના જાતક દિવાળીએ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તો પૂજામાં માં લક્ષ્મીને ગુલાબના ફૂલ ચઢાવો અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો.
વૃષભ- આ રાશિના સ્વામી શુક્ર ગ્રહ હોય છે. શુક્ર સુખ અને સંપન્નતાનો કારક ગ્રહ છે. તેથી દિવાળીએ શુભ મુહૂર્તમાં સંપૂર્ણ વિધિ-વિધાન પૂર્વક માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.
મિથુન- આ રાશિના સ્વામી ગ્રહ બુધ હોય છે. એવામાં દિવાળીની રાત્રે માં લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજામાં ધનની પ્રાપ્તિ માટે લાડુ ચઢાવવા જોઈએ.
કર્ક- કર્ક રાશિ પર ચંદ્રનુ આધિપત્ય હોય છે. એવામાં દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનમાં કમળના ફૂલ ચઢાવો અને મંત્રનો જાપ કરો.
સિંહ- સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય હોય છે. એવામાં દિવાળીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્ય દેવને જળ અર્પણ કરવુ અને રાત્રિના સમયે ચોકી પર ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની મૂર્તિઓ રાખીને વિધિવત પૂજન કરો.
કન્યા- કન્યા રાશિના જાતક સુખ-સમૃદ્ધી માટે દિવાળીએ માં લક્ષ્મીને કમળનુ ફૂલ અને ખીર ચઢાવવુ જોઈએ.
તુલા- શુક્ર ગ્રહ આ રાશિના સ્વામી હોય છે. ધન અને વૈભવની પ્રાપ્તિ માટે માં લક્ષ્મીને લાલ રંગના ફૂલ અને પૂજા સામગ્રીને અર્પણ કરવા જોઈએ.
વૃશ્વિક- વૃશ્વિક રાશિના સ્વામી ગ્રહ મંગળ હોય છે. એવામાં લક્ષ્મી પૂજનના દિવસે દેવી પર લાલ સિંદૂર અર્પણ કરવુ જોઈએ.
ધન- ધન રાશિના સ્વામી ગ્રહ બૃહસ્પતિ દેવ હોય છે. આ રીતે દિવાળીએ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સફેદ રંગનુ કમળ અર્પણ કરો.
મકર- મકર રાશિના સ્વામી શનિદેવ હોય છે. દિવાળીએ પૂજા દરમ્યાન માં લક્ષ્મી સહિત બધી દેવી-દેવતાઓ સામે તેલના દીવા પ્રગટાવીને જીવનમાં સૌભાગ્ય અને સફળતાની પ્રાપ્તિ કરી શકે છે.
કુંભ- મકર રાશિની જેમ કુંભ રાશિના સ્વામી શનિદેવ હોય છે. એવામાં દેવી લક્ષ્મીની પૂજા બાદ પીપળાના વૃક્ષની નીચે તેલનો દીવો અવશ્ય પ્રગટાવો. આ ઉપાયથી કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે.
મીન- આ રાશિના સ્વામી ગ્રહ ગુરૂ હોય છે. દિવાળીના દિવસે માં લક્ષ્મીને લાલ રંગ અર્પણ કરો. જેનાથી લગ્ન જીવન ઘણુ સુખમય રહેશે.