દિવાલી પર આપણે દુકાનો પર ઘણા પ્રકારની રંગબેરંગી મીઠાઈઓ જોઈએ છીએ. પરંતુ આ મીઠાઈઓ બિમારીને બોલાવવાનું આમંત્રણ છે.
દેશભરમાં દિવાળીની ધૂમ
પરંતુ નકલી મીઠાઈઓથી રહો સાવધાન
થઈ શકે છે જીવલેણ ખતરનાક બીમારીઓ
દિવાળી 4 નવેમ્બરે છે. એવામાં દિવાળીની ધૂમ દરેક જગ્યા પર જોવા મળી રહી છે. આ તહેવાર ખુશી અને ઉમંગનો તહેવાર છે. પરંતુ દિવાળી મીઠાઈ વગર અધુરી છે. હોમ મેડ મીઠાઈ ઉપરાંત માર્કેટમાં મળતી રંગબેરંગી મીઠાઈઓ લોકોને ખૂબ પસંદ આવે છે. એવામાં આપણે જોઈએ છીએ કે મીઠાઈની દુકાનોમાં ખૂબ રંગબેરંગી મીઠાઈઓ સજાયેલી હોય છે. જેને જોતાની સાથે જ મોઠામાં પાણી આવી જાય છે.
પરંતુ મીઠાઈ ખરીદતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે આ મીઠાઈ અસલી છે કે નકલી? તહેવારોના અવસર પર મીઠાઈમાં ખૂબ ભેળસેળ જોવા મળે છે એવામાં જો તમે પણ રંગબેરંગી મીઠાઈ જોઈને તેને ખરીદી રહ્યા છો તો તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. આવો જાણીએ તેના કારણો.
આ 3 રીતે થઈ શકે થે મીઠાઈઓમાં ભેળસેળ
મિઠાઈઓમાં રંગોની ભેળસેળ
બજારમાં મળતી મીઠાઈઓમાં રંગ વધારે જોવા મળે છે જેનાથી તે કલરફૂલ દેખાય છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારની રંગબેરંગી મીઠાઈઓ સામાન્ય રીતે એલર્જી, કિડના રોગો અને અસ્થમા જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. એવામાં બજારમાં મળતી આ પ્રકારની મીઠાઈથી દૂર રહેવું જોઈએ. કારણ કે મીઠાઈઓમાં રંગોની માત્રા 100 પીપીએમથી વધારે ન હોવી જોઈએ.
મીઠાઈઓમાં નકલી ચાંદીનું વરક
આ રંગીન મીઠાઈઓને ચાંદીના વરકથી સજાવવામાં આવે છે. ઘણી દુકાનોમાં આપણે જોયું છે કે કઈ રીતે મીઠાઈઓને આકર્ષક બનાવવા માટે તેના પર ચાંદીનું વરક લગાવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે મીઠાઈને સુંદર બનાવવા માટે વરક અલુમિનિયમનું હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ શરીર માટે વધારે ઘાતક હોય છે.
મીઠાઈ વાળા માવામાં ભેળસેળ
માવાથી બનતી મીઠાઈઓમાં પણ તહેવારોની સીઝનમાં ખૂબ ભેળસેળ કરવામાં આવે છે. એવામં જ્યારે પણ દિવાળીમાં મીઠાઈ ખરીદો કોઈ પણ ભરોસાપાત્ર દુકાનમાંથી જ મીઠાઈની ખરીદી કરો. આટલું જ નહીં માવાની ભેળસેળને સમજવા માટે તમારે ઓયોડીનના બેથી ત્રણ ટીંપા તેમાં નાખવાના હોય છે. જો માવાનો રંગ વાદળી થઈ જાય તો સમજી લો કે તેમાં ભેળસેળ છે.