ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ અને ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન આમિર સોહેલ વચ્ચેની વચ્ચે બનેલો શારજાહનો એક કિસ્સો ઘણી વખત બંનેના મોઢાથી સાંભળવા મળ્યો છે. પરંતુ આમિર સોહેલનું માનવું છે કે સિદ્ધુ આ વાતને યોગ્ય રીતે જણાવતા નથી અને ખબર નહીં તેમાં શું મસાલો ઉમેરી દે છે. ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટને તેની યુટ્યુબ ચેનલ પર આ કિસ્સા અંગે સ્પષ્ટતા કરતી વખતે આખી વાર્તા કહી હતી.
સોહેલે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ કોણ છે તે દરેકને ખબર છે. ક્રિકેટ જગતમાં તે ખૂબ મોટું નામ છે. હું તેનો આદર કરું છું અને તે એક એવા બેટ્સમેન છે જેની બેટિંગ મને જોવાનો આનંદ આવે છે. વિશ્વના ઘણા બોલરો સામે તેમનું પ્રદર્શન એકદમ પ્રભાવશાળી છે. સોહેલે કહ્યું કે તેણે એક કૉમેડી શોમાં તેમણે આ કિસ્સા વિશે જણાવ્યું હતું. મેં તેમની સાથે 2005 માં એક ન્યૂઝ ચેનલ પર વાત કરી હતી. તેમણે આ કિસ્સા પર ફરીથી એ જ વાત કરી અને મેં તેમને કહ્યું કે એ સમયે એવું બન્યું નહોતું જેવું તેઓ વિચારે છે.
1996નો કિસ્સો
સોહેલે કહ્યું કે મેં તેમને કહ્યું કે અકીબ જાવેદ પણ શહેરમાં છે અને અમે ત્રણેય મળીને બેસીને તેની ચર્ચા કરી શકીએ છીએ. છેલ્લે જ્યારે મેં એશિયા કપમાં કૉમેન્ટરી કરી હતી, ત્યારે આ બાબત ફરીથી ઉઠાવવામાં આવી હતી અને મેં સ્પષ્ટતા આપી હતી. પરંતુ તેમણે આ વાર્તાને જુદી જુદી રીતે કહી. તેથી જ મને લાગે છે કે મારે આ અંગે સ્પષ્ટતા કરવાની જરૂર છે.
પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે 1996 માં હું ભારત સામે શારજાહ મેચમાં પાકિસ્તાનની ટીમની કપ્તાન કરી રહ્યો હતો
સિદ્ધુ પાજી લગભગ 90 રન બનાવીને રમી રહ્યા હતા. એક ઓવરની વચ્ચે, તે ગુસ્સામાં મારી પાસે આવ્યાં અને કહ્યું કે આમિર તેના ફાસ્ટ બોલરોને સમજાવી દે. તેઓ તે ખોટું કરી રહ્યા છે. આના પર, મેં કહ્યું કે પાજી શું થયું. તેમણે કહ્યું કે તે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે. મેં તેમને કહ્યું કે તેને નજરઅંદાજ કરો. મેં કહ્યું કે તેઓ ફાસ્ટ બોલર છે અને આવી વાતો કરવાની તેમને ટેવ છે. આના પર તેમણે કહ્યું કે ના, તે ભલે બોલે પરંતુ અપશબ્દો ન બોલે.
પૂર્વ પાકિસ્તાની કેપ્ટને કહ્યું કે સિદ્ધુની વાત સાંભળ્યા બાદ તેણે કહ્યું હતું કે મેચ બાદ હું તેમની સાથે વાત કરીશ. તમે જાઓ અને રમો. તે સમયે મેચમાં આ બધું થયું હતું.