ભારત અને પાકિસ્તાન બંને એક બીજા પર પોત-પોતાના રાજદ્વારીઓની કથિત રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોય તેવા આરોપ લગાવી રહ્યા છે.. પાકિસ્તાને તો પજવણીના આક્ષેપ સાથે તેના રાજદ્વારીને ભારતમાંથી પરત પણ બોલાવી લીધા છે અને હવે તે તેના હાઈ રાજદ્વારીને વહેલા પરત મોકલે તેવા કોઈ અણસાર નથી.
સૂત્રોના મતે પાકિસ્તાન તેના હાઈ રાજદ્વારીને વહેલાં ભારત પરત મોકલે તેમ લાગતું નથી. પાકિસ્તાને ગુરુવારે તેના રાજદ્વારી સોહેલ મેહમુદને પાછા બોલાવી લીધા હતા અને મેહમુદે થોડાક જ દિવસમાં ભારત પાછા જવાની આશા વ્યક્ત કરી હતી પરંતુ પાકિસ્તાન વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં રાજદ્વારીઓ અને તેમના બાળકોની પજવણી બંધ નહીં કરાય ત્યાં સુધી તેમને દિલ્હી પરત મોકલવામાં આવશે નહીં.
પાકિસ્તાન વિદેશ મંત્રાલયના એક અધિકારીના જમાવ્યા પ્રમાણે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત કડવાશભર્યા હતા ત્યારે પણ બાળકોની હેરાનગતિ કરાતી ન હતી. વર્તમાન સ્થિતિમાં સોહૈલ મેહમુદ માટે નવી દિલ્હીમાં કામ કરવું શક્ય ન હતું. આનો અર્થ એવો થાય કે નવી દિલ્હીમાં પાકિસ્તાનના હાઈ કમિશનર અચોક્કસ સમય સુધી પાકિસ્તાનમાં જ રહેશે.
બંને દેશો વચ્ચેની વર્તમાન મડાગાંઠ 2002ની યાદ અપાવે છે. તે સમયે ડિસેમ્બર 2001માં ભારતીય સાંસદ પર આતંકી હુમલા પછી ભારત અને પાકિસ્તાને એકબીજાના હાઈકમિશનોને પાછા બોલાવી લીધા હતાં. મહત્વનું છે કે આગામી 19-20 માર્ચે WTO સમિટનું દિલ્હીમાં યોજાવા જઈ રહી છે.
ભારતે પાકિસ્તાનને પણ આ સમિટમાં શામેલ થવા આમંત્રણ આપ્યું હતું. જેને પાકિસ્તાને ઠુકરાવી દીધું છે અને એવો આરોપ પણ લગાવ્યો છે કે ભારતમાં તેના રાજદ્વારીઓની હેરાનગતિ કરવામાં આવી રહી છે તેથી તેણે આ સમિટથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોણ દુધનું ધોયેલું છે તે વિશ્વ જાણે જ છે. આક્ષેપો લગાવવાથી તેની અસલીઅત બદલાઈ જવાની નથી.