ઝારખંડમાં 1999માં થયેલા કૌલસા કૌભાંડ મામલે રાજ્યકક્ષાના પૂર્વ કોલસા મંત્રી દોષિત જાહેર કરાયા છે. વાજપેયી સરકારના પૂર્વ કોલસા મંત્રી દિલીપ રે ને દિલ્હીની વિશેષ કોર્ટે ચુકાદો આપતા દોષી જાહેર કર્યાં છે. આ કેસને લઇને 14 ઓક્ટોબરના રોજ સજાનું એલાન કરવામાં આવશે.
ઝારખંડમાં 1999માં થયેલા કોલસા કૌભાંડનો મામલો
પૂર્વ કોલસા મંત્રી દિલીપ રે દોષિત જાહેર કરાયા
14 ઓકટોબરના રોજ સંભળાવાશે સજા
વાજપેયી સરકારમાં કોલસા રાજ્યમંત્રી હતા દિલીપ રે
દિલ્હીની એક વિશેષ કોર્ટે મંગળવારે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રેને 1999 વર્ષમાં ઝારખંડમાં એક કોલસા બ્લોક ફાળવણીમાં અનિયમિતતાઓને સંબંધિત કોલસા કૌભાંડ મામલે દોષી જાહેર કર્યાં છે. વિશેષ જ્જ ભારત પારસકરે અટલ બિહારી વાજપેયી સરકારના રાજ્ય મંત્રી (કોલસા) રહેલાને ગુનાહિત ષડયંત્ર અને અન્ય અપરાધોને લઇને દોષી જાહેર કર્યાં છે.
Delhi's Rouse Avenue Court convicts former Union Minister Dilip Ray in a coal scam case pertaining to alleged irregularities in the allocation of a Jharkhand coal block in 1999.
કોર્ટે કોયલા મંત્રાલયે તત્કાલીન બે વરિષ્ઠ અધિકારી, પ્રદીપ કુમાર બેનર્જી અને નિત્યા નંદ ગૌતમ, કેસ્ટ્રોન ટેકનોલોજીજ લિમિટેડ (સીટીએલ), તેના નિદેશક મહેન્દ્ર કુમાર અગ્રવાલ અને કેસ્ટ્રોન માઇનિંગ લિમિટેડ (CML) ને પણ દોષી જાહેર કર્યાં છે.
કોર્ટ દ્વારા આ કેસને લઇને સજાનું એલાન 14 ઓક્ટોબરના રોજ કરશે. આ મામલો 1999માં ઝારખંડમાં ગિરીડીહમાં 'બ્રહ્મડીહ કોયલા બ્લોક'ની ફાળવણી સાથે જોડાયેલો છે.