સિનિયર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન ફરી એકવાર સાંભળીને ભારતીય જનતા પાર્ટી સામેની લડત ચાલુ રાખવા અપીલ કરી છે. દિગ્વિજયે મીડિયાના એ અહેવાલોને રદબાતલ કરી દીધા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પક્ષમાં અંદરોઅંદર અસંતોષ અને રાહુલ-પ્રિયંકાના PM મોદી પ્રત્યેના વલણ સામે વિરોધ છે.
રાજ્યસભાના MP દિગ્વિજય સિંહે ઉત્તર પ્રદેશના ઈન ચાર્જ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું અને ઉમેર્યું હતું કે ભાજપના રાજમાં UP જંગલ રાજ તરફ જઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના યુવાથી વૃદ્ધ એમાં તમામ નેતાઓને તમારી (રાહુલ ગાંધીની) આગેવાનીની જરૂર છે. અમે તમારા માટે કોઈ પણ ત્યાગ આપવા માટે તૈયાર છીએ.
દિગ્વિજય સિંહે મીડિયા અહેવાલોને અટકળો ગણાવી
દિગ્વિજયે ઘણી બધી ટ્વીટ કરીને મીડિયાના એ અહેવાલોને રદબાતલ કરી દીધા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પક્ષમાં અંદરોઅંદર અસંતોષ અને રાહુલ-પ્રિયંકાના PM મોદી પ્રત્યેના વલણ સામે વિરોધ છે. અહેવાલોમાં એવો પણ દાવો હતો કે પક્ષના અન્ય સભ્યો પણ હવે પરિવારવાદના આ રાજકારણથી મુક્તિ ઈચ્છે છે. જો કે દિગ્વિજય સિંહે આ તમામ અહેવાલોને અટકળો ગણાવી હતી અને કહ્યું હતું કે આ મીડિયાની કલ્પનાઓ માત્ર છે અને જેઓને રાહુલ ગાંધીનું નેતૃત્વ પસંદ નથી તેઓ પાર્ટી છોડીને જઈ શકે છે.
I personally support the aggressive stand which Rahul ji and Priyanka ji are taking on issues of National interest in India and UP. If this is not appreciated by some leaders in Congress then why are they in Congress? I
I personally support the aggressive stand which Rahul ji and Priyanka ji are taking on issues of National interest in India and UP. If this is not appreciated by some leaders in Congress then why are they in Congress? I
દિગ્વિજય સિંહની પ્રવૃત્તિઓ ઉપરથી એમ મનાય છે કે તેઓ થોડા જ સમયમાં પાર્ટીમાં પોતાનું કમબેક કરી શકે છે. દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ તરીકે અથવા અથવા લોક સભાના કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે આગેવાની લેવી જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ પાયાથી કોંગ્રેસ પાર્ટીનું પુન:ગઠન કરવાની જરૂર છે. તેમને ખાતરી છે કે રાહુલ પ્રિયંકાની આગેવાની હેઠળ કોંગ્રેસ પાર્ટી PM મોદી અને HM અમિત શાહને હરાવી શકે છે.
નોંધનીય છે કે 10 વર્ષ મધ્યપ્રદેશના CM રહી ચૂકેલા સિંહ અત્યારે પક્ષમાં કોઈ સત્તાવાર જવાબદારી ભોગવી રહ્યા નથી પરંતુ તેઓ એક નિષ્ણાત રાજનેતા હોવાથી ગમે ત્યારે કમબેક નોંધાવી શકે છે.