એપ્રિલ 2020થી સંપૂર્ણ દેશમાં લાગુ થનાર બીએસ-6 ઉત્સર્જન નિયમ દેશમાં ડીઝલની કારો માટે કાળ સાબિત થઇ શકે છે. દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકીએ આ વાતનાં સંકેત આપી દીધાં છે કે બીએસ-6 નિયમો બાદ તેનાં માટે ડીઝલ કારો પર દાવ લગાવવો એ સંભવ નહીં હોય.
આની પાછળ એમ જણાવવામાં આવ્યું છે કે નવા એકમોને કારણ ડીઝલ કારોની કિંમતોમાં અઢી લાખ રૂપિયા સુધીનો અતિરિક્ત વધારો થઇ શકે છે. બીજી કાર કંપનીઓની તૈયારીને જોતાં એમ લાગે છે કે ઓછામાં ઓછાં 10 લાખ રૂપિયા સુધીની કિંમતોવાળી કારોનું ડીઝલ વર્ઝન બનાવવા પર દાવ નહીં લગાવે.
પેટ્રોલ-ડીઝલની કારો પર અતિરિક્ત ટેક્સ ખોટોઃ
મારૂતિનાં ચેરમેને સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલની કારો પર ટેક્સ લગાવવો એ ખોટું છે. તેઓએ કહ્યું કે આ પ્રકારથી ઇલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન ના મળી શકે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ કેટલાંક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલનાં વાહનો પર 25 હજાર રૂપિયાનો અતિરિક્ત ટેક્સ લગાવી શકે છે. આ પૈસાને ઇલેક્ટ્રિક વાહન ખરીદવાવાળાને સબસિડીનાં રૂપમાં આપવામાં આવશે.