ડાયાબિટીસના દર્દીઓએ તેમના ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ આ લોટની રોટલી વધારે ન ખાવી જોઈએ નહીં તો બ્લડ શુગર લેવલ વધી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓ ન ખાઓ આ રોટલી
વધી શકે છે બ્લડ શુગર લેવલ
જાણો તેના નુકસાન વિશે
ડાયાબિટીસના દર્દીઓને તેમના ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. થોડી બેદરકારી તેમના પર ભારે પડી શકે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલ બહાર થઈ જાય છે. તેથી નિષ્ણાંતો પણ માને છે કે દર્દીઓએ તેમના ભોજનમાં એવા જ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જેથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રણમાં રહે.
ઘઉંના લોટથી વધી શકે છે બ્લડ શુગર લેવલ
ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં લગભગ 7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. આવી સ્થિતિમાં દર્દીઓએ આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેમાં ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય. આવી સ્થિતિમાં ઘઉંના લોટમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. જે શુગરના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી બ્લડ શુગર લેવલ વધવાની શક્યતા છે.
આ વસ્તુઓ પણ ન ખાઓ
આ સિવાય હાઈ બ્લડ શુગર લેવલની સમસ્યાથી પીડિત લોકોએ દરરોજ વાસી રોટલી અને ઠંડા દૂધનું સેવન ન કરવું જોઈએ. જો તમે ઈચ્છો તો વાસી રોટલીને ઠંડા દૂધમાં પલાળી દો અને 10-15 મિનિટ માટે મુકી રાખો. તે પછી તમે દિવસ દરમિયાન તેનું સેવન કરી શકો છો. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે.
દર્દીએ આ લોટની રોટલી ખાવી
ડાયાબિટીસના દર્દીઓ ચણાના લોટની રોટલી ખાઈ શકે છે. તેનું સેવન કરવાથી તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. હકીકતે ચણાના લોટમાં દ્રાવ્ય ફાયબર હોય છે, જે શરીરમાં વધતા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે. આ સિવાય તે લોહીમાં ગ્લુકોઝના શોષણની પ્રક્રિયાને પણ ધીમી કરે છે, જેના કારણે શુગર લેવલ નિયંત્રણમાં રહે છે.