કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરીને આવેલા રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાની પેટાચૂંટણીમાં હાર થઈ હતી. આ પહેલા કોંગ્રેસમાં બન્ને નેતાઓ ધારાસભ્ય હતા. ત્યારે ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો સંપર્ક કરે તેવી શક્યતાઓ જણાય રહી છે.
વિધાનસભા ગૃહમાં ધવલસિંહ ઝાલા કોંગ્રેસ સાથે દેખાયા
કોંગ્રેસના ધારાસભ્યો સાથે ધવલસિંહ કરતા હતા ગંભીર ચર્ચા
ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો સંપર્ક કરે તેવી શકયતા
પક્ષપલટો કરીને ભાજપમાં જોડાનાર ધવલસિંહ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ સાથે દેખાયા હતાં. કોંગ્રેસના ધારાસભ્યો સાથે ધવલસિંહ ગંભીર ચર્ચા કરતા હતાં. આ રીતે જોઇએ તો ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો સંપર્ક કરે તેવી પ્રબળ શકયતાઓ જણાય છે.
રાજકીય ભવિષ્યને ધ્યાને રાખીને ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસનો હાથ પકડવાનો નિર્ધાર કર્યો છે. ધવલસિંહની રાજકીય કારકિર્દી પર મોટો સવાલ ઉભો થયો છે. હાલની સ્થિતિ પ્રમાણે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો સાથે વાતચીત કરતા નજરે જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, રાજ્યની છ વિધાનસભા બેઠકની યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ઘણું સુધરતું દેખાયું હતું. ભાજપની ચડતીકળામાં પણ કોંગ્રેસે તેની પરંપરાગત બેઠક જાળવી રાખીને ભાજપને આંચકો પહોંચાડ્યો છે. અલ્પેશ ઠાકોરને અનુસરીને ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાને ભાજપની નવી છત્રછાયા જીતાડી શકી ન હતી. પક્ષપલટા બાદ ધવલના ગુરુતો હાર્યા જ સાથે ચેલાને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે ધવલસિંહ ઝાલા ફરી કોંગ્રેસમાં પણ જોડાઇ શકે છે.
અલ્પેશ-ધવલની હારના કારણ ?
બન્ને નેતા વધારે પડતા અત્મવિશ્વાસમાં રહ્યાં
ચૂંટણીને ભૂતકાળની આંદોલનની જેમ જ લીધી
અલ્પેશ-ધવલની સત્તા લાલચા પતનનું કારણ બની
અલ્પેશ-ધવલનો વધારે પડતો જ્ઞાતિવાદ વિલન બન્યો
પરિપક્વતાને બદલે રાજનીતિનો શોર્ટકટ નડ્યો હતો
લોકોને દિવાસ્વપ્નો બતાવ્યા અને હકીકત જૂદી હતી
અલ્પેશ-ધવલને તેમની ઠાકોર જ્ઞાતિએ પણ સપોર્ટ ન કર્યો
ભાજપના મોટા નેતાઓ બન્નેના પ્રચારથી દૂર રહ્યાં
ભાજપના સ્થાનિક નેતાનો સપોર્ટ ન મળ્યો હતો
પક્ષ પલ્ટો કર્યા બાદ લોકોની નજરમાં બન્ને આવ્યાં
કોંગ્રેસમાં રહીની ભાજપને આક્રમકતાથી ભાંડી
કોંગ્રેસે એક થઈ અલ્પેશ-ધવલને હરાવવા કમર કસી હતી
કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યોએ આક્રમકતાથી પ્રચાર કર્યો હતો