રાજકોટમાં DGFT નાં અધિકારી લાંચ અને આત્મહત્યા મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યારે સીબીઆઈનાં ડીઆઈજી સુપ્રિયા પાટીલ મોડી સાંજે રાજકોટ પહોચ્યા હતા.
DGFT અધિકારી લાંચ અને આત્મહત્યા મામલે તપાસ
CBIના DIG સુપ્રિયા પાટીલ પહોંચ્યા રાજકોટ
CBI સમગ્ર મામલે પ્રાથમિક વિગતો મેળવશે
લાંચ મામલે હજુ 2 લોકર ખોલવાના બાકી
રાજકોટમાં DGFT નાં અધિકારી લાંચ અને આત્મહત્યા મામલે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે. ત્યારે સીબીઆઈનાં ડીઆઈજી સુપ્રિયા પાટીલ મોડી સાંજે રાજકોટ પહોચ્યા હતા. સમગ્ર મામલે સીબીઆઈ પ્રાથમિક વિગતો મેળવશે. ત્યારે હજુ લાંચ મામલે 2 લોકર ખોલવાનાં બાકી છે. પાડોશી ફ્લેટમાંથી પણ મોટી રકમ મળી આવી છે. સમગ્ર મામલે અધિકારીઓ સાથે બેઠક કરશે. તેમજ સમગ્ર ઘટનાને લઇ વિગતો મેળવશે.
રાજકોટમાં લાંચ કેસમાં ઝડપાયેલા DGFTના અધિકારીએ આપઘાત કરી લેતા હડકંપ મચી ગયો છે. અધિકારીએ ચોથા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટમાં ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ટોચના અધિકારી રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા.
ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત
મળતી માહિતી અનુસાર, રાજકોટના ફોરેન ટ્રેડના જોઈન્ટ DGFT જવરીમલ બિશ્નોઇએ ઓફિસની બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે. હાલ તેમના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.