સરકારના મુખ્ય કામદાર સુધારામાં સમાવિષ્ટ ચાર લેબર કોડ બીલમાંથી ત્રણ રાજ્યસભા દ્વારા આજે રાજ્યસભામાં પસાર થઈ ગયા છે. ગત વર્ષના જૂન મહિનામાં સરકારે 44 પ્રવર્તમાન કાયદાઓને ચાર કોડમાં આવરી લેવાનું નક્કી કર્યું હતું. જેમાંથી 3 આજે પસાર થઈ ગયા હતા.
રાજ્યસભામાં પાસ થયા 3 લેબર કોડ બિલ
44 કાયદાઓને ચાર કોડમાં આવરી લેવાયા છે
લોકસભામાંથી ગઈકાલે પસાર થઈ ચૂક્યા છે
સંસદની બહાર વિપક્ષનું વિરોધ પ્રદર્શન ચાલુ હતું. ત્યારે આજે સરકારના ફ્લેગશીપ શ્રમિક સુધારા કહી શકાય તેવા ત્રણ બિલ પસાર થઈ ગયા હતા.અ બિલનો વિરોધ કરનાર વિપક્ષે ઉપરાષ્ટ્રપતિને એકપક્ષીય રીતે આ બિલ પસાર ન કરવા માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો આવું કઈ પણ થશે તો ઓકશાહી ઉપર ડાઘ હશે. આ બિલ પસાર કર્યા બાદ સેશનને સ્થગિત કરાયું હતું, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 25 થી વધુ સાંસદો સંક્રમિત થઈ ચૂક્યા છે.
જાણો મુખ્ય મુદ્દાઓ
1 વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી શરતોની સંહિતા, 2020, ઔદ્યોગિક સંબંધો કોડ 2020 અને સામાજિક સુરક્ષા પરની સંહિતા, 2020 બિલને ગઈકાલે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા હતા અને હવે ફક્ત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહીની જરૂર છે.
2. સરકારે કહ્યું હતું કે આ બિલ થી શ્રમિકોની સેફટી વધશે જ્યારે કે વિપક્ષે આ બિલ ને એન્ટિ લેબર ગણાવી હતી. સરકારનો દાવો છે કે આ બિલ સુધારણા લાવશે જેથી શ્રમિક કાયદા ઓ વર્લ્ડ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનશે. સાથે જ વિદેશી રોકાણ વધશે અને તેમણે કહ્યું હતું કે 16 રાજ્યોએ કેન્દ્રની મંજૂરી વગર જ 300 જેટલા શ્રમિકો ધરાવતી કંપનીઓ માટેના નિયમોમાં છૂટછાટ આપી છે.
3. વિપક્ષ અને મજૂર સંગઠનો કહે છે કે આ બિલથી કામદારોને છૂટા કરવા માટેની કંપનીઓની સત્તામાં વધારો કરશે. રાજ્ય સરકારની મંજૂરી વગર કંપનીઓ હવે લોકોને છૂટ કરી શકશે, જ્યારે કે પહેલા આ લિમિટ 100 લોકો સુધીની હતી.
4. આ કાયદાઓ પ્રમાણે કોઈ ઔધ્યોગિક કામદાર 60 દિવસની પ્રાયર નોટિસ આપ્યા વિના હડતાળ પર જય શકશે નહીં. જ્યારે કે પહેલા પબ્લિક યુટિલિટી જેવી કે પાણી, વીજળી, ગેસ, ટેલિફોન વેગેરે જેવી સુવિધાઓના કામદારોને જ 6 અઠવાડિયાની નોટિસ આપ્યા વિના હડતાળ પર ન જઈ શકવાનો નિયમ હતો.
5.સોશિયલ સિક્યુરિટી બિલ માત્ર ઉબેર, ઓલા, સ્વીગી જેવી એપ બેઝ્ડ કંપનીઓના કામદારો માટે લાગૂ થશે. પરંતુ મજૂર સંગઠનોની માંગણી છે કે આ કામદારો હજુ પણ ઘણા લેબર રિફોર્મ્સની પહોંચથી બહાર છે અને ઈન્ડીપેન્ડેન્ટ પર્ત્નાર્સ તરીકે ટ્રીટ થશે.
6. આ સૂચિત બિલ હેલ્થ અને સેફટી માટેના નિયમો માત્ર ફેક્ટ્રીઝ, ખાણ અને ડોક્સ જેવા કામદારો માટે જ લાગૂ કરે છે જયારે કે મજૂર સંગઠનો તેનો વ્યાપ વધારવાની તરફેણમાં છે. કહ્સ તો તેમણે ખેડૂત બિલ પર આ મુદ્દે ખેડૂત સંગઠનો સાથે હાથ મિલાવ્યા છે.
7. ભારતીય મઝદૂર સંઘ કે જે RSS ની જ એક પેટા શાખા છે તેમણે આ બિલ નો વિરોધ કર્યો છે અને શ્રેણીબદ્ધ માંગણીઓની સૂચી જાહેર કરી છે અને કહ્યું છે કે આ કાયદો ઉતાવળમાં પસાર કરાયો છે.
8.સરકારે જે 44 કાયદાઓ ને ચાર કોડ માં ફેરવ્યા જેમાં સામાજિક સુરક્ષા, વ્યવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ અને ઔદ્યોગિક સંબંધો શામેલ છે. આ કોડ માંથી ત્રણ આજે પસાર થાય જયારે કે વેતન બીલને લાગતું કોડ પહેલા જ પસાર થઈ ચૂક્યું છે.