કૃષિ સુધારા કાયદા સામે કોંગ્રેસ વિરોધ નોંધાવી રહ્યું છે. રાહુલ ગાંધીએ મોદીના અનેક મુદ્દાઓને લઈને પ્રહાર કર્યા છે. તેમણે કૃષિ બિલને લઈને આ પહેલા પણ સરકાર પર પ્રહાર કર્યા હતા. હાલમાં પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે, ‘લોકશાહી મરી પરવારી છે.’
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્યા પ્રહાર
વર્તમાન કૃષિ કાયદાને ખેડૂતો માટે મોતની સજા સમાન ગણાવ્યો
રાહુલે કહ્યું ભારતમાં લોકશાહી મરી પરવારી છે
રાહુલ ગાંધી વારંવાર ટ્વીટ કરીને સરકારને ઘેરતા આવ્યા છે. ફરી એકવાર રાહુલ ગાંધીએ સરકાર પર કૃષિ બિલને લઈને પ્રકાર કર્યો છે. તેમણે ટ્વીટ કરી વર્તમાન કૃષિ કાયદાને ખેડૂતો માટે મોતની સજા સમાન ગણાવ્યો છે. રાહુલે કહ્યું કે ભારતમાં લોકશાહી મરી પરવારી છે.’
The agriculture laws are a death sentence to our farmers. Their voice is crushed in Parliament and outside.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટ્વીટમાં કહ્યું હતું કે, 2014માં મોદીજીએ MSPને લઇ ચૂંટણી વાયદો કર્યો. સરકારે સ્વામિનાથન કમિશનવાળું MSPનો વાયદો કર્યો હતો. એ બાદ 2015માં મોદી સરકારે કોર્ટમાં કહ્યું,અમારાથી નહીં થાય. તેમજ રાહુલે કહ્યું કે 2020માં કાળો ખેડૂત કાયદો બનાવ્યો જેમાં મોદીજીની નિયત સાફ છે. કૃષિ વિરોધી નવો પ્રયાસ છે. ખેડૂતોને મૂળથી સાફ કરીને મૂડીવાદી મિત્રોનો ખુબ વિકાસ કરવાનો છે.
તેમણે કૃષિ બાદ શ્રમિક બિલ મુદ્દે પણ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું છે કે ખેડૂતો બાદ હવે શ્રમિકો પર વાર કરાયો છે. ગરીબોનું શોષણ, મિત્રોનું પોષણ કરાઈ રહ્યું છે. આ જ છે બસ મોદીજીનું શાસન. ગઇકાલે સંસદે શ્રમ સુધારા બિલને મંજૂરી આપી છે. જેને અંતર્ગત રાહુલે આ પ્રકાર કર્યો હતો.